SBIએ દરેક ગ્રાહકોને ફ્રોડ એસએમએસથી દૂર રહેવાની સલાહ આપી છે.
SBIએ પોતાના કસ્ટમર્સ માટે એક એલર્ટ જાહેર કર્યો
એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે અમુક સલાહ આપી
ગ્રાહકોને વધુમાં વધુ સાવધાની રાખવાની સલાહ આપી
જો તમારૂ બેન્ક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેન્ક SBIમાં છે તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. તમારી એક નાની ભૂલ પણ તમારા બેન્ક એકાઉન્ટને ખાલી કરી શકે છે. એ જ કારણ છે કે SBIએ પોતાના કસ્ટમર્સ માટે એક એલર્ટ જાહેર કર્યો છે. એસબીઆઈએ પોતાના ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે અમુક સલાહ આપી છે. હકીકતે બેન્ક એકાઉન્ટમાં અનધિકૃત લેવડ દેવડના વધતા કેસને જોતા એસબીઆઈએ પોતાના ગ્રાહકોને વધુમાં વધુ સાવધાની રાખવાની સલાહ આપી છે.
SBI ગ્રાહકો પાસે આવી રહ્યા છે ફ્રોડ મેસેજ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલના દિવસોમાં એસબીઆઈના ગ્રાહકોની પાસે નકલી મેસેજ આવી રહ્યા છે. એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એસબીઆઈને ટેગ કરતા ફરીયાદ કરી હતી. ગ્રાહકે આ ફ્રોડ મેસેજને @TheOfficialSBI અને @Cybercellindiaને ટેગ કરી ભારતીય સ્ટેટ બેન્ક પાસે તેની ઉપર ધ્યાન આપવાની વાત કહી છે. ત્યાં જ ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોની સમજણ માટે તેમના વખાણ કર્યા છે. બેન્કે જણાવ્યું કે દરેક ગ્રાહકોને આ રીતે નકલી મેસેજથી બચવુ જોઈએ. જણાવી દઈએ કે ફ્રોડ મેસેજમાં બંધ એકાઉન્ટને એક્ટિવેટ કરાવવા માટે ફ્રોડ મેસેજ ગ્રાહકોની પાસે મોકલવામાં આવ્યો છે. આ મેસેજમાં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે અને આ નંબર પર તત્કાલ કોલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
SBIએ દરેક ગ્રાહકોને આ પ્રકારે ફ્રોડ મેસેજથી દૂર રહેવા માટેની સલાહ આપી છે. બેન્કનું કહેવું છે કે આવા કોઈ પણ નકલી ઈ મેલ, SMS, કોલ અને એમ્બેડેડ લિંક પર કોઈ પણ પ્રકારના કોઈ પણ જવાબ ન આપવા. સાથે જ યુઝર આઈડી, પાસવર્ડ, ડેબિટ કાર્ડ નંબર, પિન, સીવીવી અને OTPને પણ કોઈ સાથે શેર ન કરવો જોઈએ. SBIનું કહેવું છે કે બેન્ક કોઈ પણ ગ્રાહક પાસેથી પર્સનલ જાણકારી નથી માંગતી.