જો તમે ભારતીય સ્ટેટ બેન્ક (SBI) નું ATM કાર્ડ યૂઝ કરતા હોવ તો આપના માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. એસબીઆઇ (SBI) એ 1 જાન્યુઆરીથી કેશ નીકાળવાના નિયમમાં બદલાવ કર્યો છે. નવા નિયમ હેઠળ આપને વન ટાઇમ પાસવર્ડ (OTP) દ્વારા કેશ નિકાળવાની સુવિધા મળશે. અહીં આ નિયમ વિશે વિસ્તારથી જાણીએ.
SBIના એટીએમ યુઝર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર
એસબીઆઇએ કેશ નીકાળવાના નિયમમાં બદલાવ કર્યો
OTP દ્વારા કેશ નિકાળવાની સુવિધા મળશે
વાત એમ છે કે, એસબીઆઇએ ઓટીપી બેઝ્ડ ATM વિથડ્રોલ સુવિધા લોન્ચ કરી છે. આ સુવિધામાં તમે જ્યારે એસબીઆઇના એટીએમ મશીનમાંથી કેશ નીકાળવા માટે કાર્ડ લગાવશો તો આપના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) જનરેટ થશે.
ક્યારે એન્ટર કરવાનો રહેશે OTP?
નવી સુવિધા હેઠળ જ્યારે કાર્ડધારક એસબીઆઇના એટીએમમાં નીકાળવામાં આવતી રાશિ નાંખશે ત્યારે એટીએમ મશીનના સ્ક્રીન પર OTP એન્ટર કરવાનો વિકલ્પ આવશે. આ ઓટીપીને એટીએમ સ્ક્રીન પર એન્ટર કર્યા બાદ જ કેશ નીકાળી શકાશે.
અહીં જણાવીએ કે, ઓટીપી બેઝ્ડ વિથડ્રોલ સુવિધા એસબીઆઇ કાર્ડથી અન્ય બેન્ક એટીએમથી કેશ નીકાળવા પર લાગૂ નહીં થાય. ત્યારે નવી સુવિધા હેઠળ હાલ માત્ર સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આપ ટ્રાન્જેક્શન કરી શકો છો.
આ સુવિધા 10000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન માટે મળશે. ઓટીપી બેઝ્ડ કેશ વિથડ્રોલ સુવિધા દ્વારા ગ્રાહકોના પૈસાની સુરક્ષા વધશે. આટલું જ નહીં, ગ્રાહક સ્કિમ્ડ/ક્લોન કાર્ડ એટલે કે ડુપ્લીકેટ કાર્ડથી પૈસા નીકાળી શકવાના જોખમથી બચી શકાય છે. જોકે, તેના માટે જરૂરી છે કે, આપ આપના મોબાઇલ નંબરને બેન્ક એકાઉન્ટથી અપડેટ રાખો.