ભારતીય સ્ટેટ બેંક ગ્રાહકોને આકર્ષિત કરવા ઘણાં પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપે છે. આજે અમે તમને એસબીઆઈના એક ખાસ પ્રકારના ખાતા વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમને પૈસાની બચત કરવાની સાથે તેમાં વધુ વ્યાજ મેળવવાનો પણ વિકલ્પ મળે છે. એસબીઆઈનું સેવિંગ્સ પ્લસ એકાઉન્ટ એવા જ ખાતાઓમાંનું એક છે, જે મલ્ટી ઓપ્શન ડિપોઝિટ (એમઓડી) સાથે લિંક છે. આમાં સરપ્લસની રકમ નિર્ધારિત મર્યાદાથી વધુ હોવા પર તે આપમેળે જ એફડીમાં કન્વર્ટ થઈ જાય છે. ચાલો જાણીએ એસબીઆઇ સેવિંગ્સ પ્લસ એકાઉન્ટની વિશેષતા.
એસબીઆઈ ગ્રાહકોને આકર્ષિત કરવા નવી-નવી સ્કીમ લાવતી રહે છે
એસબીઆઈના આ ખાતામાં રૂપિયા પર મળશે એફડી જેટલું વ્યાજ
લોનની સુવિધા પણ છે ઉપલબ્ધ
કોણ ખોલાવી શકે છે આ ખાતું
સેવિંગ ખાતાની જેમ જે એસબીઆઈ સેવિંગ્સ પ્લસ ખાતું કોઈપણ વ્યક્તિ ખોલાવી શકે છે. આ ખાતું સિંગલ અથવા જોઈન્ટમાં પણ ખોલાવી શકાય છે.
કેટલું મિનિમમ બેલેન્સ રાખી શકાય
આ ખાતામાં મંથલી એવરેજ બેલેન્સ રાખવું ફરજિયાત છે. મેટ્રો સિટી માટે 3000 રૂપિયા, અર્બન એરિયામાં 3000 રૂપિયા, સેમી અર્બન એરિયામાં 2000 રૂપિયા અને રૂરલ એરિયામાં 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે. સેવિંગ પ્લસ ખાતામાં એસબીઆઈ એસબીઆઈના સેવિંગ ખાતા જેટલું જ વ્યાજ મળે છે.
કેટલી રકમ ટ્રાન્સફર થશે
સેવિંગ પ્લસ ખાતામાં 25 હજાર રૂપિયાતી વધુ રકમ ફિક્સ્ડ ડિપોસિટમાં ટ્રાન્સફર થઈ જાય છે. જે ઓછામાં ઓછી 10 હજાર રૂપિયા છે અને તે 1000 રૂપિયાના મલ્ટીપલમાં થાય છે. એટલે કે, મલ્ટી ઓપ્શન ડિપોઝિટ ખાતામાં ટ્રાન્સફર માટે ઓછામાં ઓછી થ્રેસહોલ્ડ લિમિટ 35 હજાર રપિયા છે.
મળે છે આ સુવિધા
સેવિંગ બેંક એકાઉન્ટ હોસ્ડર્સને આપવામાં આવતી તમામ સેવાઓ જેમ કે એટીએમ કાર્ડ, મોબાઈલ બેકિંગ, ઈન્ટરનેટ બેકિંગ અને એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ આ ખાતામાં પણ મળે છે. જ્યારે મલ્ટી ઓપ્શન ડિપોઝિટ્સ પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.