ભગવાન શિવને એમજ ભોલેબાબા નથી કહેવામાં આવતા. તેઓ પોતાના ભક્તો પર ઝડપથી કૃપા કરી દે છે પરંતુ શું તમે જાણો છો કે શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ જ કેમ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં શિવજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે અને આ જ કારણે કદાચ પોતાના ભક્તોની પુકાર જલ્દી સાંભળી લે છે.
દેવી પાર્વતીએ પણ આ જ મહિનામાં શિવજીને પ્રસન્ન કર્યા હતા અને તેમને પોતાના પતિના રૂપમાં સ્વિકાર્યા હતા. માટે શિવને મનાવવા માટે આ જ સોથી સારો સમય માનવામાં આવે છે અને તેના માટે તમારે વધારે કઈ નહીં આ વાતોનું ધ્યાન રાખવાનું હોય છે.
શ્રાવણના મહિનામાં સુર્યોદય પહેલા ઉઠીને ભગવાન શિવનું ધ્યાન કરો અને નિયમિત શિવલિંગનો જળથી અભિષેક કરો. પુરાણો અનુસાર શ્વાવણ માં કરવામાં આવેલો જળાભિષેક અન્ય દિવસોની ઉપેક્ષાએ વધારે ફળદાયી હોય છે.
શ્રાવણમાં સોમવારના દિવસે ઉપવાસ રાખવો. જો નિર્જળા ઉપવાસ ન કરી શકો તો ફળાહારની સાથે આ વ્રત રાખી શકો છો.
શ્રાવણ માસમાં શિવ પુરાણનો પાઠ કરો. આ પુરાણમાં કહેવામાં આવ્યુ છે કે શ્રાવણમાં તેનો પાઠ કરવાથી શ્રવણ કરવાથી વ્યક્તિને મુક્તિ મળે છે.
ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર શામેલ કરો. આ ઉપરાંત ધતૂરો અને ભાંગ પણ ભગવાન શિવને અર્પિત કરો.
તાંબાનો નાગ ભગવાન શિવને અર્પિત કરો. જ્યોતિષશાસ્ત્રના અનુસાર તેનાથી કાલસર્પ સર્પ યોગ અને રાહુ કેતુનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.
માટીના શિવલિંગ બનાવીને નિયમિત તેની પૂજા કરો. દૂધ દાન કરો. સાંજના સમયે ભગવાન શિવની આરતી પૂજા કરો.