દાન-ધર્મ અને પૂર્ણ માટે જાણિતા સવજી ધોળકિયા એક સારા વ્યક્તિની ઓળખ ધરાવે છે. પરંતુ જે પ્રકારે નર્મદા નદી કાંઠે બનેલા પોતાના રિસોર્ટમાં જવા માટે નદીની વચ્ચે પાળો બાંધીને સવજી ધોળકિયાએ વિવાદ સર્જ્યો છે. ત્યારે શું છે જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટ...
સવજી ધોળકિયાએ પરસેવો પાડીને પોતાના વતન અમરેલી જિલ્લાના દૂધાળા ગામમાં પોતાના સ્વખર્ચે સરોવરને નિર્માણ કરાવ્યું તેના છે. આ સરોવરના નિર્માણથી વરસાદી પાણીનો સંગ્રહ થયો છે અને દૂધાળા આસપાસના ગામોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી છે. આ સરોવરના નિર્માણને કારણે સવજી ધોળકિયાની ખુબ વાહવાહી થઈ હતી. અને ખરા અર્થમાં એક સારુ કાર્ય તેમણે કર્યું હતું.
પણ એજ સવજીએ પોતાના રિસોર્ટ અને ક્રિકેટ ગ્રાઉન્ડમાં જવા માટે નર્મદામાં ગેરકાયદે રસ્તો બનાવી લીધો. રસ્તો તો માટીનો છે પરંતુ આ રસ્તાની નતો કોઈ મંજૂરી લેવામાં આવી હતી. ન તો કોઈને જાણ કર્યા વીના રાતો રાત આ પાળો બાંધી દેવામાં આવ્યો હતો. પરંતુ આ સમગ્ર ગેરકાયદે કામની જાણ જાગૃત મીડિયાને થતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો.
તો જ્યારે વીટીવીની ટીમે ગ્રાઉન્ડ રિયાલીટી ચેક કર્યો અને તેનો અહેવાલ વીટીવી પર પ્રસારીત કર્યો ત્યારબાદ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તાબડતોડ સ્થળ પર પહોંચી ગયું અને આ ગેરકાયદે પાળાને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
તો જ્યારે આ સમગ્ર વિવાદ જગજાહેર થઈ ગયો અને પાળો ગેરકાયદે છે તે સત્ય બહાર આવી જતા સવજી ધોળકિયાના રિસોર્ટમાં કામ કરતા તેમના માણસોએ પોતાનો બચાવ કર્યો હતો.
કહેવાય છે ને માણસે તેની મહાનતા ક્યારે ન ગુમાવવી જોઈએ. પોતાના પૂર્ણ અને પરોપકાર થકી સવજી ધોળકિયા મહાન બન્યા છે. તેમણે અનેક એવા કામ કર્યા છે તેના વખાણ કરવા જ પડે. પરંતુ એક નાની અમથી ભૂલ છેક ઉપરથી નીચે લાવી દે છે.
મોટા માણસ બનીને એવુ ન સમજુ જોઈએ કે આપણે મહાન બની ગયા છીએ. અને મોટા માણસ બની નાની નાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. એક નાની ભૂલ મોટા પરિણામ આપતી હોય છે.