કૃષિ કાયદાની સામે આંદોલન છેડનાર સંયુક્ત કિસાન મોરચાએ હવે ફરી વાર કેન્દ્ર સરકારની સામે મંડાણ માંડ્યા છે.
કિસાન મોરચો ફરી લાઈમલાઈટમાં આવ્યો
કેન્દ્રની અગ્નિપથ યોજના સામે માંડ્યા મંડાણ
રવિવારથી દેશવ્યાપી આંદોલનની કરી જાહેરાત
કૃષિ કાયદાની સામે આંદોલનને કારણે ચર્ચામાં આવેલો સંયુક્ત કિસાન મોરચો હવે ફરી વાર લાઈમલાઈટમાં આવ્યો છે. સંયુક્ત કિસાન મોર્ચા (એસકેએમ) સેનામાં ભરતી માટે કેન્દ્રની 'અગ્નિપથ' યોજના સામે રવિવારથી દેશવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. સંયુક્ત મોરચની જાહેરાત અનુસાર આવતીકાલ એટલે કે રવિવારથી નિવૃત્ત સૈન્ય કર્મચારીઓ અને વિવિધ યુવા સંગઠનોના 'યુનાઇટેડ ફ્રન્ટ' ના સહયોગથી અગ્નિપથ યોજનાની સામે આંદોલન શરુ કરવામાં આવશે.
7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી આંદોલન
સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે શનિવારે કહ્યું કે અભિયાન અંતર્ગત પહેલા પગલામાં 'જય જવાન જય કિસાન' સંમેલન 7 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી યોજાશે. દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા યાદવે જણાવ્યું હતું કે આ અભિયાનનો હેતુ લોકોને વિવાદાસ્પદ અગ્નિપથ યોજનાના વિનાશક પરિણામોથી વાકેફ કરવાનો અને કેન્દ્ર પર લોકશાહી, શાંતિપૂર્ણ અને બંધારણીય માધ્યમોનો ઉપયોગ કરીને તેને પાછો ખેંચવા માટે દબાણ લાવવાનો છે.
Samyukt Kisan Morcha says it will launch a nationwide campaign against the Centre's Agnipath scheme for military recruitment on Sunday
અગ્નિપથ' યોજના વિનાશક- યોગેન્દ્ર યાદવ
યોગેન્દ્ર યાદવે કહ્યું કે જો (ત્રણ) કૃષિ કાયદાઓ ક્રૂર હતા, તો 'અગ્નિપથ' યોજના વિનાશક છે. જો આપણા ખેડૂતો અને સૈનિકો તકલીફમાં હશે તો આપણા દેશની કરોડરજ્જુ તોડવાની ધમકી આપે છે. આપણું મૌન સરકારને દેશના રક્ષકો અને અન્નદાતાઓનો નાશ કરવા દઈ શકે નહીં. અમે તેમને એકવાર રોક્યા છે, અમે તેમને ફરીથી રોકી શકીએ છીએ.
હરિયાણા, યુપી અને બંગાળમાં મોટા કાર્યક્રમો
યોગેન્દ્ર યાદવે કહ્યું કે આ અભિયાન હેઠળ કેટલાક મોટા કાર્યક્રમો રવિવારે હરિયાણાના જીંદ જિલ્લા, ઉત્તર પ્રદેશના મથુરા અને પશ્ચિમ બંગાળના કોલકાતામાં યોજાશે. આ સિવાય 9 ઓગસ્ટે રેવાડી (હરિયાણા) અને મુઝફ્ફરનગર (ઉત્તર પ્રદેશ), 10 ઓગસ્ટે ઇન્દોર (મધ્યપ્રદેશ) અને મેરઠ (ઉત્તર પ્રદેશ) અને 11 ઓગસ્ટે પટનામાં કાર્યક્રમો યોજાશે.
અગ્નિપથ યોજના પાછી ખેંચો અને કાયમી ભરતી પાછી લાવો- યાદવ
યાદવે માંગ કરી હતી કે અગ્નિપથ યોજના પાછી ખેંચી લેવામાં આવે અને નિયમિત અને કાયમી ભરતીની જૂની પદ્ધતિ પુન:સ્થાપિત થવી જોઈએ. 'અગ્નિપથ' આર્મી, નેવી અને એરફોર્સમાં સૈનિકોની ભરતી માટેની યોજના છે, જે હેઠળ ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટના ધોરણે નિમણૂકની જોગવાઈ છે.