હિન્દુત્વ અને રામ મંદિરનો મુદ્દાને લઇને ફરી રાજકારણ ગરમાયું છે. યુપીમાં અહીં મણિરામદાસ છાવણીમાં આજરોજ દેશભરમાં સંત-ધર્માચાર્ય રામમંદિરના નિર્માણને લઇને એકઠાં થઇ રહ્યાં છે.
જેમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, જગદગુરૂ સ્વામી રામભદ્રાચાર્ય, સાધ્વમી ઋતુંભરા, સ્વામી ચિન્મયાનંદ, આચાર્ય ધર્મેન્દ્ર, આચાર્ય મહાસભાના મહામંત્રી સ્વામી પરમાત્માનંદ, સ્વામી અવિચલ દાસ, ડો. રામેશ્વર દાસ, સંઘના સહ સર કાર્યવાહક ડો. કૃષ્ણ ગોપાલ, વિશ્વ હિન્દુ પરિષના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાય, કેન્દ્રીય મંત્રી રાજેન્દ્ર સિંહ પંકજ સહિત પૂર્વ ઉચ્ચ શિક્ષા મંત્રી અને દિલ્લી ભાજપના પ્રભારી કુંવર જયભાનુ સિંહ પવૈયા જેવા દિગ્ગજ અયોધ્યા પહોંચી રહ્યાં છે.
હિન્દુત્વ અને રામમંદિરનો મુદ્દો ફરી એક વાર ગરમાયો છે. આજે રામ મંદિર સહિત અનેક મુદ્દે રામ નગરી અયોધ્યામાં દેશભરના સાધુ સંતોનો જમાવડો થશે. મણિરામદાસની છાવણીમાં દેશભરમાંથી સાધુ સંતો ઉમટશે અને રામ મંદિર નિર્માણ માટે હુંકાર કરશે. અયોધ્યાનું સંત સંમેલન આમ તો રામજન્મ ભૂમિ વ્યાસના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસના જન્મોત્સવના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું છે.
આ અગાઉ ત્રીજી જૂનના રોજ મણિરામદાસની છાવણીમાં યોજાયેલા સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘના પદાધિકારીઓની હાજરીમાં યોજાયેલા સંમેલનમાં રામ મંદિર મુદ્દે થઈ રહેલા વિલંબ પર નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી હતી. આ સંમેલનનું ઉદ્ઘાટન યૂપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય કરશે. સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદ, સંઘ સહિત દેશભરના સાધુ સંતો, ધર્માચાર્યો સામેલ થશે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના શરદ શર્માએ કહ્યું કે, આ સંત સંમેલનમાં ગૌરક્ષા, ધર્માંતરણ, વર્તમાન સામાજીક પિરિસ્થિતિ, આતંકવાદ, મઠ મંદિરોની સુરક્ષા અને વિકાસ પર પણ ચર્ચા વિચારણા થશે. બીજી તરફ, દેશભરના સાધુ સંતો ધર્માચાર્યો એક જૂટ થવા જઈ રહ્યા છે ત્યારે રામ મંદિરનો મુદ્દે ઉઠે તે સ્વાભાવિક છે. આ સંમેલનમાં રામ મંદિર નિર્માણને લઈને આગામી રણનીતી પણ ઘડવામાં આવશે.