બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sahkarthi samrudhdhi program will be held in gujarat
Kavan
Last Updated: 08:05 AM, 13 March 2022
કેન્દ્રીય સહકારીતા મંત્રાલય દ્વારા આજે દેશનો પ્રથમ “સહકારથી સમૃદ્ધિ”નો કાર્યક્રમ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે અને મોટી સંખ્યામાં હાજર રહેલા પશુ પાલકોને સંબોધન કરશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તાપીના બાજીપુરામાં આજે સહકાર સંમેલન
ઉલ્લેખનીય છે કે, આ સહકાર સંમેલન તાપીના બાજીપુરામાં યોજાશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુમુલ ડેરીએ બનાવેલા સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત નવી પારડીમાં બટર કોલ્ડ સ્ટોરેજ અને પાવડર વેરહાઉસનો પણ અમિત શાહ શિલાન્યાસ કરવાના છે. કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સહકારમંત્રી જગદીશ પંચાલ, ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવી અને કૃષિરાજયમંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેશે તો તાપી, સુરતના સહકારી મંડળીના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય સહકારમંત્રી અમિત શાહનું કરાશે સન્માન
આપને જણાવી દઈએ કે, સુરત અને તાપી જિલ્લામાં અંદાજિત 6 હજાર મંડળીઓ આવેલી છે, તેમજ તેના થકી વર્ષે 10 હજાર કરોડ ખેડૂતોને આવક મળી રહે છે. તેમાં પણ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના ખેડૂતો મંડળી થતી સમૃદ્ધ થઈ થયા છે. ત્યારે આ કાર્યક્રમમાં દૂધ મંડળીઓ અને સહકારી મંડળીઓના પ્રતિનિધિઓની હાજરી રહેશે. તેમના દ્વારા અમિત શાહનું સન્માન કરવામાં આવશે.
ત્રણ વખત કાર્યક્રમ મોકુફ રખાયા હતા
નોંધનીય છે કે, આ અગાઉ 3 વખત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોના મહામારીને કારણે આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે યોજાઈ રહેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army