પીએમ મોદીની અધ્યક્ષની સિલેક્ટ કમિટી દ્વારા CBI ડિરેક્ટરના પદેથી હટાયા ગયાના એક દિવસ બાદ આલોક વર્માએ રાજીનામું ધરી દીધું છે. સૂત્રોનું માનીએ તો તેમને ફાયર સર્વિસના DG તરીકે હોદ્દો આપવામાં આવ્યો હતો. જેનો સ્વીકાર કરવાની આલોક વર્માએ ઇન્કાર કર્યો હતો અને રાજીનામું આપી દીધું હતું.
ગઈ કાલે તેમને ચાર્જસંભાળ્યા બાદ અધિકારીઓની બદલી અને એમ કરીને હલચલ કરી હતી. જો કે બાદમાં સાંજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતા વાળી કમિટીએ તેમને પદ પરથી દૂર કર્યા હતા અને તેમને ફાયર સર્વિસના ડીજી બનાવ્યા હતા. જો કે વર્માએ આ મામમલે DoPT સેક્રેટરીને પત્ર લખી પદ સ્વીરકારવાનો ઇન્કાર કર્યો છે.
વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની કમિટી દ્વારા ફરી એક વખત આલોક વર્માને CBI ડિરેક્ટર પદેથી હટાવ્યા બાદ બુધવારે મોડી રાત્રે PTIને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારના હાઈ-પ્રોફાઈલ મામલાઓની તપાસ કરનારી મહત્વપૂર્ણ ઍજન્સી હોવાને કારણે CBIની સ્વતંત્રતાને સુરક્ષિત અને સંરક્ષિત રાખવી જોઈએ.