રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી લડવાની જાહેરાત કરતાની સાથે જ કોંગ્રેસમાં નવાજૂની થવાની શક્યતા.
ગેહલોતે દર્શાવી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણી લડવાની તૈયારી
સચિન પાયલટે કોંગી ધારાસભ્યો સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું: સૂત્ર
...તો હું CMની ખુરશી છોડી દઈશ: અશોક ગેહલોત
તાજેતરમાં જ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી કરેલા ઇનકાર અને અશોક ગેહલોતે અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની કરેલી જાહેરાત બાદ કોંગ્રેસ નેતા સચિન પાયલટની નજર હવે રાજસ્થાનમાં ખાલી થયેલી CMની ખુરશી પર છે.
સચિન પાયલટે તમામ જૂથોના કોંગી ધારાસભ્યો સાથે કરી વાતચીત
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન પાયલટે તમામ જૂથોના કોંગી ધારાસભ્યો સાથે વાતચીત કરવાનું શરૂ કરી દીધું છે. તેમાં એવા ધારાસભ્ય પણ સામેલ છે કે જેઓ ક્યારેક તેમના કટ્ટર વિરોધી કહેવાતા. તમને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ સચિન પાયલટે એકાએક એક્ટિવ થઇને ધારાસભ્યો સાથે વાતચીત કરતા તેઓને કોઇ નવી જવાબદારી મળી શકે તેવું દેખાઇ રહ્યું છે.
ગેહલોતના મંત્રી ગુઢાના સૂર પણ બદલાયા, તમામે હાઇકમાન પર નિર્ણય છોડ્યો
21 સપ્ટેમ્બરના રોજ સચિન પાયલટે 'ભારત જોડો યાત્રા' માં સામેલ થઇને રાહુલ ગાંધી સાથે ચર્ચા કરી. પાયલટ હવે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળશે. પાયલટે કહ્યું કે, 'સોનિયા ગાંધીનો નિર્ણય સૌ કોઇએ માનવાનો છે.'
આ વાતને ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુઢાએ પણ ઉચ્ચારતા કહ્યું કે, 'હાઇકમાન જે નામનું એલાન કરશે, અમારી સાથેના 6 ધારાસભ્યો તેમનું સમર્થન કરશે.' આ સાથે SCના આયોગ અધ્યક્ષ અને બસેડીના ધારાસભ્ય ખિલાડીલાલ બૈરવા અને બાડી ધારાસભ્ય ગિર્રાજસિંહ મલિંગા દિલ્હીમાં છે, બંનેએ પાયલટ સાથે વાતચીત કરી છે.
ગેહલોતે કહ્યું કે, 'CM હાઈકમાન્ડ નક્કી કરશે તો હું ખુરશી છોડી દઈશ'
રાજકીય ખેંચતાણ વચ્ચે અશોક ગેહલોતે પણ નિવેદન આપતા જણાવ્યું કે, 'હું અધ્યક્ષ બનીશ તો CMની ખુરશી છોડી દઈશ.' નવા મુખ્યમંત્રી અંગે તેઓએ નિવેદન આપતા કહ્યું કે, 'આ નિર્ણય હાઈકમાન્ડ જ લેશે.'
Congress General Secretary Ajay Maken & party President Sonia Gandhi will decide the further proceedings if I become the party president: Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/675nQ3SCvq
અશોક ગેહલોતે દર્શાવી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી
અત્રે નોંધનીય છે કે, અશોક ગેહલોતે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તેમજ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી દીધી છે. તેઓએ આજે કોચિમાં કહ્યું હતું કે, 'મારે રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે વિનંતી કરવી હતી પરંતુ તેઓએ ઇનકાર કરી દીધો.' રાહુલ ગાંધીનું કહેવું છે કે, 'આ વખતે ગાંધી પરિવારમાંથી કોઇ અધ્યક્ષ નહીં બને, આ ફાઇનલ નિર્ણય છે.'
સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ગેહલોત 28 સપ્ટેમ્બરના રોજ ઉમેદવારી નોંધાવવાની તૈયારીમાં છે. તેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. ઉમેદવારી નોંધાવવાના દિવસે કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવશે, ગેહલોતે ધારાસભ્ય દળની બેઠકમાં જ આ બાબત જણાવી હતી.
सभी साथियों से निवेदन है कि धैर्य और संयम बनाएं ।
सच्चाई की जीत होगी और हमारे नेता सचिन पायलट जी को उनकी मेहनत का फल जरूर मिलेगा ,हमे आलाकमान पर पूरा भरोसा है।
इसलिए कोई भी साथी सोशल मीडिया पर कुछ भी अनावश्यक पोस्ट , व कमेंट न करें।
।। धन्यवाद।।
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે અશોક ગેહલોતની ઉમેદવારી થવાની સંભાવનાઓથી સચિન પાયલટના સમર્થકો એક્ટિવ થઇ ગયા છે. સચિન પાયલોટનું હેશટેગ ટ્વિટર પર સતત ટ્રેન્ડ કરતું રહ્યું છે. પાયલોટના સમર્થકો સોશિયલ મીડિયા પર અનેક કોમેન્ટ કરી રહ્યાં છે. આ સાથે પાયલોટ તરફી ધારાસભ્યોએ શુભેચ્છકોને શાંત રહેવાની અપીલ પણ કરી છે.
પાયલોટ સમર્થક ધારાસભ્ય વેદપ્રકાશ સોલંકીએ ટ્વિટ કરીને કહ્યું કે – 'તમામ સાથીઓને ધીરજ અને સંયમ રાખવા વિનંતી. સત્યનો વિજય થશે અને અમારા નેતા સચિન પાયલોટને તેમની મહેનતનું ફળ ચોક્કસપણે મળશે. અમને હાઈકમાન્ડ પર પૂરો વિશ્વાસ છે, આથી કોઈ પણ સાથીઓએ સોશિયલ મીડિયા પર બિનજરૂરી કંઈપણ પોસ્ટ કરવું નહીં.'
દિગ્વિજયે કરી ગેહલોતની પ્રશંસા, કહ્યું 'તેમનામાં છે તમામ પ્રકારની ખૂબીઓ'
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીને લઇને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કહ્યું કે, 'જેવો હાઇકમાન આદેશ કરશે, એ પ્રમાણે જ હું કરીશ, પરંતુ કેટલીક વાતો એવી છે કે જેની સાથે હું સમાધાન
નહીં કરું.' રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું કે, 'તેઓની અંદર અનેક પ્રકારની ખૂબીઓ છે, જે એક રાષ્ટ્રીય અધ્યક્ષ માટે હોવી જોઇએ.' મહત્વનું છે કે, દિગ્વિજય આજ રોજ એક કાર્યક્રમ મુદ્દે જબલપુર પહોંચ્યા છે.