ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે AIIMSના ફોરેન્સિક રિપોર્ટમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંત સિંહે આત્મહત્યા કરી છે. હવે આ મામલે શિવસેનાએ ફરી એકવાર સામનામાં નિશાન સાધ્યું છે. શિવસેનાએ ગુપ્તેશ્વર પાંડે પર કટાક્ષ કર્યો છે.
સુશાંતસિંહ રાજપૂત કેસમાં AIIMSના રિપોર્ટના આધારે શિવસેનાનો સામનામાં કર્યો કટાક્ષ
બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેયના JDUમાં જોડાવા પર કર્યો કટાક્ષ
કંગના પર પણ વાર કરતા લખ્યું કે કંગના ક્યાં છુપાઈ ગઈ છે?
શિવસેના પર સુશાંત સિંહ રાજપૂતના કેસને લઈને અનેક રાજકીય દળો અને નેતાઓ સહિત કંગના રનૌતે નિશાન સાધ્યું છે. જ્યારે એમ્સના રિપોર્ટમાં સુશાંત સિંહે આત્મહત્યા કરવાનું સામે આવ્યું હોવાથી શિવસેનાએ સામનામાં અનેક લોકો પર નિશાન સાધ્યું છે. જેમાં શિવસેનાએ કહ્યું છે કે સુધીર ગુપ્તા શિવસેનાના ડૉક્ટર નથી. તેમજ કહેવાયું છે કે "મુંબઈ પોલીસની તપાસ પર સવાલ ઉઠાવનારાઓએ માફી માગવી જોઈએ.
આ મામલે બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેયના JDUમાં સામેલ થવા પર કટાક્ષ કર્યો છે. સામનામાં પ્રહાર કરવામાં આવ્યો કે બિહાર ચૂંટણીને પગલે નીતિશ કુમારે અને બિહારના નેતાઓએ આ મામલો ઉઠાવ્યો હતો. અને પૂર્વ DGP ગુપ્તશ્વરની વર્દીનો દુરુપયોગ કર્યો અને હવે તે નીતિશ કુમારની પાર્ટીમાં સામેલ થઈ ગયા છે.
જે કંગના રનૌત સુશાંત કેસમાં પર પોલીસ તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા તે કંગના આજે ક્યાંક છુપાઈ ગઈ છે. એટલું જ નહીં તેમણે હાથરસ દુષ્કર્મ કેસમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા. આ મામલે અભિનેત્રીએ આંખમાં ગ્લિસરીન નાંખીને બે આંસૂ પણ ન વહાવ્યા. જેવા પ્રહાર કર્યા છે.