સાત વર્ષથી ક્રિકેટની દુનિયાથી દૂર શ્રીસંત પર જે પ્રતિબંધ હતો તે હવે સમાપ્ત થઇ ગયો છે ત્યારે તેમનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે.
હું ઓસ્ટ્રેલીયા,શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના એજન્ટો સાથે વાત કરી રહ્યો છું : શ્રીસંત
વર્ષ 2013માં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો
જોકે બાદમાં અદાલતે તે પ્રતિબંધ સાત વર્ષનો કરી નાખ્યો
ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ફાસ્ટ શ્રીસંતે કહ્યું છે કે એક ફોન કરજો, ક્રિકેટ રમવા માટે કયાંય પણ આવી જઈશ. હાલમાં જ સાત વર્ષ સુધી પ્રતિબંધ સમાપ્ત થયા બાદ તેમણે આ મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે 'હું ઓસ્ટ્રેલીયા,શ્રીલંકા અને ન્યુઝીલેન્ડના એજન્ટો સાથે વાત કરી રહ્યો છું કારણ કે હું આ બધા દેશોમાં ક્લબ ક્રિકેટ રમવા માંગુ છું. મારું લક્ષ્ય 2023 વર્લ્ડ કપમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે.'
નોંધનીય છે કે ફાસ્ટ બોલર પર પહેલા અતિ ગંભીર આરોપ લાગ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વર્ષ 2013માં શ્રીસંત પર આજીવન પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે તે આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ કરતા પકડાયા હતા. વર્ષ 2015માં વિશેષ અદાલતે આ બધા આરોપોથી તેમને છૂટા કરી દીધા. વર્ષ 2018માં કેરળ હાઈકોર્ટે શ્રેસંત પર લગાવેલા આજીવન પ્રતિબંધને હટાવી દીધો અને જોકે તે બાદ હાઈકોર્ટની ડીવીઝન બેંચ દ્વારા ફરીથી પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો.
આ આદેશ બાદ શ્રીસંત સર્વોચ્ચ અદાલત પહોંચી ગયા અને જે બાદ BCCIને પ્રતિબંધની સમયસીમા ઘટાડવા કહેવામાં આવ્યું. જે બાદ ક્રિકેટ બોર્ડે પ્રતિબંધ આજીવનને બદલે સાત વર્ષનો કર્યો જે આ મહિનાની 12મી તારીખે સમાપ્ત થયો છે. 37 વર્ષના શ્રીસંતે 27 ટેસ્ટ, 53 વન દે અને 10 ટી 20 ઇન્ટરનેશનલ મેચ રમી છે જેમાં ક્રમશ 87, 75 અને 7 વિકેટ ઝડપી.
નોંધનીય છે કે શ્રીસંત પર પ્રતિબંધ સમાપ્ત થવા પર તેમની પત્નીએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી, તેમણે કહ્યું કે ત્રણ વસ્તુઓ લાંબા સમયથી છુપાવી શકાય નહીં, સૂર્ય, ચંદ્ર અને સત્ય.
નોંધનીય છે કે વર્ષ 2013માં માનવામાં આવી રહ્યું હતું કે શ્રીસંત વાપસી કરવાના જ છે અને ત્યાં તેમના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. એ વર્ષે જાન્યુઆરીમાં શ્રીસંત ભારત એ ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા, શ્રીસંતે જ્યાં ઘરેલુ ક્રિકેટમાં વાપસીની પુષ્ટિ કરી છે ત્યાં રાષ્ટ્રીય ટીમમાં તો તે પાછા આવે તેની સંભાવના ઓછી છે.