નરેન્દ્ર મોદી સરકારના 100 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. તે જ સમયે, વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશ મંત્રાલયના 100 દિવસ પૂરા થવા પર એક મોટું નિવેદન આપતાં કહ્યું છે કે, POK ભારતનો ભાગ છે. એસ જયશંકરનું કહ્યું કે, આશા છે, POK ભારતનો ભૌગોલિક હિસ્સો થશે. આ સાથે જ એસ. જયશંકરે કહ્યું કે, કલમ 370 એક દ્વિપક્ષીય મુદ્દો નથી પરંતુ આંતરિક મુદ્દો છે.
POK મુદ્દે વિદેશ મંત્રીનું નિવેદન
POK ભારતનો ભાગ છે
કલમ 370 ભારતનો આંતરિક મામલો
POK મુદ્દે મોદી સરકારના મંત્રીઓ આપી ચૂક્યા છે નિવેદન
EAM S. Jaishankar: PoK (Pakistan Occupied Kashmir) is a part of India and we expect one day we will have physical jurisdiction over it. pic.twitter.com/9XUVAbnVor
આપને જણાવી દઇએ કે, જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ મોદી સરકારના કેટલાય મંત્રીઓએ POK મુદ્દે નિવેદન આપ્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આગામી એજન્ડા POK ને ફરી પ્રાપ્ત કરવાનો છે. મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસની સૌથી મોટી સિદ્ધિ મામલે તેમણે કહ્યું કે, અમારો આગામી એજન્ડા પાકિસ્તાનના કબજામાં રહેલ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે.
#WATCH: External Affairs Minister Dr Subrahmanyam Jaishankar says, "Our position on PoK (Pakistan Occupied Kashmir) has always been and will always be very clear. PoK is part of India and we expect one day that we will have the physical jurisdiction over it." pic.twitter.com/XpK0aPspmE
સરકારના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કલમ 370 મુદ્દે બોલતા વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે આ ભારતનો આંતરિક મામલો છે. પાકિસ્તાનની સાથે 370 નો મુદ્દો જ નથી. તેની સાથે આતંકવાદનો મુદ્દો છે. વધુમાં તેમણે કહ્યું કે, મને લાગે છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાય કલમ 370 અમારી સ્થિતિને સમજે છે.
કેટલાક મુદ્દે રાખી વાત
પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રીએ કેટલાક મુદ્દે પોતાની વાત રજૂ કરી હતી. કુલભૂષણ જાધવ મામલે તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય તેમને કાઉન્સિલર એક્સેસ આપવાનો છે. હવે અમે નિર્દોષ વ્યક્તિને પોતાના દેશ પરત લાવવા માટેનું સમાધાન કાઢી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, જાકીર નાઇકને લઇને અમારો અનુરોધ છે કે, અમે તેને પરત લાવીએ અને તેના પર કામ કરી રહ્યા છીએ.