રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ સતત ચાલી રહ્યું છે. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના સૈનિકોએ કબ્જો નથી કરી શકી, પણ શહેર છોડતા પહેલા ભયંકર તબાહી મચાવી દીધી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે જંગ ચાલું
કીવ છોડતા પહેલા ભયંકર તબાહી મચાવી
કીવ વિસ્તારમાંથી 410 મૃતદેહો મળ્યા હોવાનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ સતત ચાલી રહ્યું છે. યુક્રેનની રાજધાની કીવમાં રશિયાના સૈનિકોએ કબ્જો નથી કરી શકી, પણ શહેર છોડતા પહેલા ભયંકર તબાહી મચાવી દીધી છે. યુક્રેનના જનરલે દાવો કર્યો છે કે, કીવ વિસ્તારમાંથી 410 મૃતદેહો મળી આવ્યા છે. રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ રશિયાની સેના પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ બુચામાં સામૂહિક કબર મળ્યા બાદ રશિયાને યુધ્ધ સમાપ્ત કરવાનું આહ્વાન કર્યું છે.
અમેરિકા પણ એક્શનમાં આવ્યું
બીજી બાજૂ સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે પણ નિવેદન જાહેર કરતા કહ્યું કે, યુક્રેનની રાજધાની કીવ પાસે બુચા શહેરમાં મૃત નાગરિકોની તસ્વીરો જોઈને તેમને ઉંડો આધાત લાગ્યો છે. તેમણે સ્વતંત્ર તપાસની પણ માગ કરી છે. અમેરિકી મંત્રી એંટની બ્લિંકેને કહ્યું કે, અમે બુચા અને સમગ્ર યુક્રેનમાં ક્રેમલિન દળો દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટ અત્યાચારોને આકરી નિંદા કરીએ છીએ. અમે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા માટે સાધનો, અને અન્ય દસ્તાવેજો ખંગાળી રહ્યા છીએ.
યુક્રેનના જનરલે દાવો કરીને કહ્યું કે, 410 નાગરિકોને મૃતદેહો વ્યાપક કીવ વિસ્તારમાંથી મળી આવ્યા છે. જ્યાંથી રશિયાની સેના પાછી ગઈ હતી. તો વળી રશિયાના રક્ષામંત્રાલયે બુચામાં રશિયાની સેના દ્વારા નાગરિકોને નહીં માર્યા હોવાની વાત કરી છે.
શનિવારે જેલેંસ્કીએ દેશને કર્યું હતું સંબોધન
આપને જણાવી દઈએ કે, આ અગાઉ જેલેંસ્કીએ શનિવારે રાતે દેશને સંબોધન કરતા કહ્યું કે, યુક્રેન જાણે છે કે, રશિયાના પાસે યુક્રેનના પૂર્વ અને દક્ષિણમાં વધારે પ્રેશર બનાવવા માટે સુરક્ષાદળો છે. તેમણે કહ્યું કે, રશિયાના સૈનિકોને ટાર્ગેટ શું છે. તે ડોનબાસ અને યુક્રેનના દક્ષિણ પર કબ્જો કરવા માગે છે. અમારો ટાર્ગેટ શું છે ? પોત-પોતાની આઝાદી અને પોતાની જમીન તથા પોતાના લોકોની રક્ષા કરવી. તેમણએ કહ્યું કે, સારી એવી સંખ્યામાં રશિયાના સૈનિક મારિયુપોલની આજૂબાજૂમાં તૈનાત છે. જ્યાં બચાવકર્તા સતત લડી રહ્યા છે.