રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેન દ્વારા જૈવિક હથિયારોના ઉપયોગ મામલે યુએનએસસી દ્વારા તપાસની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો.
જૈવિક હથિયાર ઉપયોગના લઈને તપાસની માંગ કરતો ઠરાવ
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેન ઉપયોગ કરતુ હોવાનો દાવો
યુએનએસસીમાં પસાર કરાયેલા ઠરાવથી ભારત દુર રહ્યું
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે યુએનએસસીમાં પસાર કરાયેલા અન્ય ઠરાવથી પોતાને દૂર રાખ્યા છે. વાસ્તવમાં યુક્રેન દ્વારા જૈવિક હથિયારોના ઉપયોગને લઈને મોટો દાવો કરવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયાએ દાવો કર્યો હતો કે અમેરિકાની મદદથી યુક્રેનના સૈનિકો જૈવિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.
તપાસની માંગ કરવામાં આવી
રશિયાએ આ મામલે યુએનએસસી દ્વારા તપાસની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. યુક્રેનની પ્રયોગશાળાઓમાં જૈવિક શસ્ત્રોના ઉપયોગની તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું. જોકે, ભારતે રશિયાના આ ડ્રાફ્ટથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધા છે.
રશિયાને મળ્યું માત્ર ચીનનું સમર્થન
રશિયાના આ પ્રસ્તાવ પર યુએનએસસીમાં વોટિંગ થયું, જેમાં રશિયાને માત્ર ચીનનું સમર્થન મળ્યું. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ભારત સહિત અન્ય દેશોએ આ મતદાનમાં ભાગ લીધો ન હતો.
15 સભ્યોના કમિશનની માંગ
ગયા અઠવાડિયે રશિયા દ્વારા કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે યુક્રેનમાં યુએસ સંરક્ષણ મંત્રાલયની મદદથી જૈવિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રશિયાએ દાવાઓની તપાસ માટે 15 સભ્યોની કાઉન્સિલની રચના કરવાની માંગ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી નેબેન્ઝિયાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે રશિયા તેના આરોપોની યુએન તપાસ માટે ખુલ્લું છે કે બંને દેશો જૈવિક શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કરારનું ઉલ્લંઘન કરી રહ્યા છે.