રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ છે. પરંતુ હજુ પણ ત્યાં યુદ્ધ શરૂ છે. યુક્રેન પર સતત હવાઇ હુમલા દ્વારા બોમ્બમારો શરૂ છે. ત્યારે 24માંથી 19 વિસ્તારોમાં એર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 19મો દિવસ
યુક્રેન પર સતત હવાઇ હુમલા દ્વારા બોમ્બમારો શરૂ
24માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ
રવિવારના રોજ રશિયાએ પશ્ચિમ યુક્રેન સ્થિત લશ્કરી તાલીમ મથક પર મિસાઈલ હુમલો કર્યો છે. રશિયાએ તેની અંદર 180 વિદેશી લડાકુના મોતનો દાવો કર્યો છે. રશિયાએ એવો દાવો કર્યો છે કે, તેણે યુક્રેનના સૈન્ય મથક પર 30થી વધુ મિસાઇલો છોડી છે. જો કે, યુક્રેનએ તેનાથી અલગ દાવો કર્યો છે. યુક્રેનનું કહેવું છે કે, આ હુમલામાં 35 લોકોના મોત નિપજ્યાં છે.
તેમજ રશિયન હુમલામાં એક વિદેશી પત્રકારનું પણ મોત નિપજ્યું છે. યુક્રેનના સાંસદ ઇન્ના સોવસુને આ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, ઇરપિનમાં રશિયાની ગોળીબારમાં વિદેશી પત્રકારનું મોત નિપજ્યું હતું. આ સાથે અન્ય એક વિદેશી પત્રકારને સારવાર માટે ઓખમતદિત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
ખાર્કિવમાં ભારે બોમ્બમારો શરૂ
યુક્રેનના ખારકિવમાં રશિયન સૈન્યએ ભારે બોમ્બમારો ચાલુ રાખ્યો છે. અગાઉ એવી માહિતી મળી હતી કે, યુક્રેનના 24માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરાયું છે.
24માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ
રશિયન સેના યુક્રેન પર હવાઈ હુમલો થઇ રહ્યો છે. 24માંથી 19 વિસ્તારોમાં હવાઈ હુમલાનું એલર્ટ જારી કરાયું છે.
યુદ્ધ વચ્ચે યુક્રેને એવો દાવો કર્યો છે કે, તેઓએ 13 માર્ચે 4 રશિયન લશ્કરી વિમાનો અને 3 હેલિકોપ્ટરને ઠાર કર્યા છે. કહેવામાં આવ્યું કે, આ હુમલો એન્ટી એરક્રાફ્ટ મિસાઈલથી કરવામાં આવ્યો હતો.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં 596 નાગરિકો માર્યા ગયા
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 596 નાગરિકોના મોત નિપજ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રે આ અંગેની જાણકારી આપી છે. યુએનના માનવાધિકાર કાર્યાલયે કહ્યું કે, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં યુક્રેનના 596 નાગરિકોના મોત થયા છે. તેમજ અત્યાર સુધીમાં 1,067 લોકો ઘાયલ થયા છે.