કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. 75 હજારથી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસમાં ગંભીર રીતે નથી વધી રહ્યો પરંતુ કોરોનાના એક ટ્રેન્ડના લીધે દેશની મુશ્કેલીઓ વધી શકે છે.
ભારતનાં એક તૃત્યાંશ જિલ્લાઓમાં ફેલાયો કોરોના
કોરોનાને એક ભૌગોલિક વિસ્તારમાં નિયંત્રિત કરવો મુશ્કેલ
શહેરોમાંથી પલાયનના કારણે ગામડાઓમાં ફેલાઈ શકે છે કોરોના
કોરોના વાયરસ હવે ભારતનાં એક તૃત્યાંશ જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે. ભારતનાં 736 જિલ્લાઓમાંથી દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહીત 300 જિલ્લાઓમાં કોરોના ફેલાઈ ગયો છે. ઘણા પ્રદેશોમાં 60 ટકા વિસ્તારોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. કોરોના વાયરસનો સંક્રમણ આટલા જિલ્લાઓમાં ફેલાઈ ગયા બાદ નિષ્ણાતોનું માનવું છે કે કોરોના વાયરસને એક ભૌગોલિક વિસ્તારમાં સીમિત કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ભારત સરકારે હોટસ્પોટ વિસ્તાર પણ જાહેર કર્યા છે. એવામાં નિષ્ણાતો અનુસાર ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાવાનો ભય રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલ અનુસાર ભારતમાં કોરોના વાયરસ બધા જ વિસ્તારોમાં સમાન રૂપે નહીં ફેલાય. સરકાર કોરોના વાયરસના હોટસ્પોટ પર નજર રાખી રહી છે. તથા કોરોના વાયરસથી જે વિસ્તાર વધુ પ્રભાવિત છે તે ઈલાકામાં ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે.
નોંધનીય છે કે લોકડાઉનના કારણે શહેરોમાંથી ગ્રામીણ ઇલાકામાં પલાયનના કારણે હવે ત્યાં પણ કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. નિષ્ણાતો અનુસાર ગ્રામીણ ઇલાકાઓમાં હજુ કોરોના વાયરસની ઓળખાણ પણ થઇ નથી. એવામાં આ લોકો કોરોના વાયરસના વાહક બની શકે છે.