રાહુલ દ્રવિડ અને રૉસ ટેલરે 2008 અને 2011ની વચ્ચે આઈપીએલની ચાર સિઝનમાં એકસાથે ક્રિકેટ રમી. બંને 2008 થી 2010 સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતા. પછી 2011ની સિઝનમાં રાજસ્થાન રૉયલ્સે રૉસ ટેલર અને રાહુલ દ્રવિડને પસંદ કર્યો હતો.
ભારતીય ટીમના મુખ્ય કોચને લઇને રૉસ ટેલરનુુ નિવેદન
ટેલર કહે છે, ‘મેં દ્રવિડને પૂછ્યુ કે તમે કેટલી વખત વાઘ જોયો છે?’
દ્રવિડે કહ્યુું કે તેમણે ક્યારેય વાઘ જોયો નથી
રૉસ ટેલરે રાહુલ દ્રવિડ સાથેની એક ઘટનાનુ વર્ણન કર્યુ
રૉસ ટેલરની આત્મકથા ગુરૂવારે જાહેર કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રૉસ ટેલરે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હાલમાં ટેલરે બ્લેક એન્ડ વ્હાઈટ ઑટો બાયોગ્રાફી લખી છે. તેના પુસ્તકમાં તેમણે ભારતના હાલના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથેની એક ઘટનાનુ વર્ણન કર્યુ છે, જ્યારે બંનેએ એક વાઘને જોવા માટે રાજસ્થાનના રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનનો પ્રવાસ કર્યો હતો. ટેલર જણાવે છે કે સામાન્ય જનતાને વાઘને જોવાની તુલનામાં દ્રવિડને જોવામાં વધુ રૂચિ હતી.
મેં ક્યારેય વાઘના દર્શન કર્યા નથી: રાહુલ દ્રવિડ
ટેલર કહે છે, મેં દ્રવિડને પૂછ્યુ કે તમે કેટલી વખત વાઘ જોયો છે? દ્રવિડે કહ્યુું કે તેમણે ક્યારેય વાઘ જોયો નથી. તેઓ 21 વખત જંગલ સફારી ગયા પરંતુ એક પણ વખત વાઘના તેમને દર્શન થયા નથી. મેં વિચાર્યુ, વાઘ ના દેખાયા હોવા છતાં 21 વખત સફારી. હકીકતમાં મને ખબર હોત તો હું ના જાત. હું દ્રવિડને કહેત કે હું ડિસ્કવરી ચેનલ જોઈશ.
દ્રવિડ વાઘને જોઇ ખૂબ રોમાંચિત થયા હતા: ટેલર
ટેલરે વધુમાં કહ્યું, જેકબ ઓરમ સવારે બહાર ગયા હતા. તેમને સફારીમાં આવવામાં કોઈ રૂચિ ન હતી. ટીવીમાં કોઈ બેસબોલ મેચ હતી જેને તેઓ જોવા માંગતા હતા. તેથી તેઓ અમારી સાથે બપોરની સફારી પર આવ્યાં નહીં. અમારા ડ્રાઈવરના એક સ્ટાફે રેડિયો કૉલ કરીને જણાવ્યું કે તેમણે એક પ્રસિદ્ધ વાઘ ટી-17ને જોયુ છે. આ સાંભળી દ્રવિડ રોમાંચિત થયા. આખરે તેઓ 21 સફારી બાદ વાઘને જોવાના હતા.