દુનિયાનો ખ્યાતનામ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ક્રાયોથેરાપીની મદદથી થાય છે ઝડપી રીકવર, ક્રાયોથેરાપી કેટલું મદદરૂપ થાય છે એથલેટિક પ્લેયર્સને ચાલો જાણીએ
ક્રાયોથેરાપી ને કોલ્ડ થેરાપી પણ કહેવામાં આવે છે
મસલ્સને ઝડપી રીકવરી કરવા માટે ક્રાયોથેરાપી ઉપયોગી
ક્રાયોથેરાપીથી ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો
ફિટનેસ શરીર માટે જરૂરી
બોલીવૂડ સેલેબ્રિટી હોય કે હોલિવુડ સેલેબ્રિટી દરેકની ઇચ્છા હોય છે કે તેમના જેવી બોડી બનાવવી છે. સેલિબ્રિટીઝની જેમ ફિટનેસ મેળવવા માટે લોકો પોતાના ડાયટ અને વર્કઆઉટ પ્લાનને પણ ફોલો કરતા હોય છે પરંતુ તેમ છતાં તેઓ તેમના જેવું બોડી બનાવી શકતા નથી. એમની પાછળનું કારણ એ છે કે દરેક માણસનું શરીર, હોર્મોન્સ, લાઇફસ્ટાઇલ અલગ-અલગ હોય છે એટલે એક જ પ્રકારનો આહાર અને વર્કઆઉટ દરેક માણસ માટે એકસરખી અસર દેખાતી નથી. સેલિબ્રિટીઝને સ્ટ્રિક્ટ ડાયટ, વર્કઆઉટ્સ, લાઇફસ્ટાઇલ, પૂરતી ઊંઘ અને ઘણી નાની નાની વાતોનું ધ્યાન ફિટનેસ બાબતે રાખવામાં આવે છે જે સામાન્ય લોકો માટે ઘણી મુશ્કેલ હોઈ શકે છે. વર્કઆઉટ્સ સિવાય, તેઓ તેમની રોજિંદી વાતોમાં આવી ઘણી વસ્તુઓ અને ટ્રેન્ડી તકનીકો પણ ઉમેરે છે, જે તેમને ફિટનેસ મેળવવામાં અને મેન્ટેન કરવામાં મદદ કરે છે.
રોનાલ્ડો ક્રાયોથેરાપી લે છે
જો દુનિયાના સૌથી સારા ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરવામાં આવે તો તેણે થોડા સમય પહેલા પોતાના 11 વર્ષના દીકરા સાથે એક ફોટો શેર કર્યો હતો. તેમાં તેઓ ક્રાયોથેરાપી ચેમ્બરની બહાર ઊભા હતા, જે તેમને તેમના શરીરને સુડોળ રાખવામાં મદદરૂપ થાય છે. જાણકારી અનુસાર, તેણે આ ખાસ ચેમ્બર માટે લગભગ 48-50 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. ક્રાયોથેરાપી ચેમ્બર શું છે અને તેની વિશેષતાઓ શું છે ચાલો જાણીએ
ક્રાયોથેરાપી શું છે ?
ક્રાયોથેરાપીને કોલ્ડ થેરાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો ઉપયોગ ઘણા ડોક્ટર તેના દર્દી માટે પણ કરે છે. કેટલાક લોકો ક્રાયોથેરાપીને આઇસ બાથ તરીકે ઓળખે છે, પરંતુ બંને અલગ અલગ છે. આઇસ બાથ કરતાં ક્રાયોથેરાપીના વધુ ફાયદા છે. ક્રાયોથેરાપીની રચના 1970ના દાયકામાં જાપાની રૂમેટોલોજિસ્ટ તોશિમા યામાગુચી દ્વારા કરવામાં આવી હતી અને 1980-1990ના દાયકામાં યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં આને રજુ કરવામાં આવ્યું
સ્નાયુની રીકવરી થાય છે ઝડપી
સ્નાયુઓના દુખાવાને ઘટાડવાથી લઈને ડીપ્રેશન ઓછું કરવા સુધી ક્રાયોથેરાપીનો ઉપયોગ થાય છે. સોફ્ટ ટિશ્યુને નુકસાન થયા બાદ અથવા સર્જરી બાદ માંસપેશીઓમાં દુખાવો, મચકોડ અને સોજાને ઘટાડવા માટે પણ ક્રાયોથેરાપીનો ઉપયોગ થાય છે. ક્રાયોથેરાપી, હાયપોક્સિક સેલ મૃત થવા પર, સોજાને વધતો અટકાવવા અને સ્નાયુઓમાં ખેંચાણ ઓછું કરવા માટે થાય છે, જેથી સ્નાયુ પેશીઓ નીચું તાપમાન જળવાઈ રહે અને રીકવરી ઝડપી બને છે.
ફિટનેસ સેન્ટરમાં ક્રાયોથેરાપી
ઘણા સમયથી ક્રાયોથેરાપીનો ઉપયોગ એથ્લેટ્સ દ્વારા કસરત બાદ ઝડપથી સાજા થવા માટે કરવામાં આવે છે. ક્રાયોથેરાપીનો ઉપયોગ ફિટનેશમાં ક્રાયોથેરાપી ચેમ્બર અથવા ક્રાયોચેમ્બર તરીકે થાય છે. સામાન્ય ભાષામાં લોકો તેને આઇસ ચેમ્બરના નામથી પણ ઓળખે છે. ક્રાયોસ્ફિયર મોટે ભાગે ટ્યૂબ આકારનું હોય છે, જેમાં વ્યક્તિ આરામથી બેસી શકે છે. તેનું તાપમાન માઈનસ 93 ડિગ્રી સેલ્સિયસથી માઈનસ 150 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે. આ ચેમ્બરમાં 3-5 મિનિટથી વધુ ન બેસવું જોઈએ.
ક્રાયોથેરાપીના પ્રકારો
ક્રાયોથેરાપીના 2 પ્રકાર હોય છે. Partial-Body cryotherapy, PBC અને બીજી છે Whole body cryotherapy, WBC. આંશિક-બોડી ક્રાયોથેરાપીમાં તાપમાન ઘટાડવા માટે નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તે ચેમ્બર ટ્યુબનો આકાર ધરાવે છે. શરીરના ક્રાયોથેરાપીમાં ચેમ્બરની અંદર માણસ બેસી શકે છે અને તે ચેમ્બરનું તાપમાન વીજળી દ્વારા ઓછું કરવામાં આવે છે. બંને પ્રકારના ક્રાયોસ્ફિયર ત્વચાનું તાપમાન ઘટાડે છે, પરંતુ WBC, PBC કરતા શરીરનું તાપમાન વધુ ઘટાડી શકે છે, તેથી તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા સેલિબ્રિટી ક્રાયોથેરાપી લે છે, જે તેમની ફિટનેસ અને શરીરને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. ક્રાયોચેમ્બર અથવા ક્રાયોથેરાપી ચેમ્બરના ફાયદા શું છે? ચાલો જાણીએ
મસલ્સના દર્દમાં આરામ આપે છે
ક્રાયોથેરાપીથી સ્નાયુનો દુખાવો અને સાંધાનો દુખાવામાં થોડા જ સમયમાં રાહત આપે છે, તેથી એથ્લીટ્સને આ થેરાપીથી જલ્દી દર્દ ઓછું થાય છે. ડોકરો પણ મસલ્સ અને જોડોમાં દર્દ થવા પર આઈસ પેક લગાવવાની સલાહ આપે છે.
વજન ઘટાડામાં મદદરૂપ
ક્રાયોથેરાપીથી સીધો જ વજન ઉતરતો નથી પરંતુ ક્રાયોથેરાપી પછી જયારે શરીર ઠંડુ પડી જાય છે ત્યારે નોર્મલ તાપમાન પર શરીરને આવતા વધારે મહેનત લાગે છે જેનાથી વધુ કેલોરી બર્ન થાય છે અને ચરબી ઉતરે છે.
સોજો ઓછો કરે છે
ઘણી વખત કસરત કાર્ય પછી મસલ્સમાં સોજા આવી જાય છે. અને સોજાથી કેન્સર ડાયાબિટીસ અને ડિમેન્શિયા અને આર્થરાઇટિસ જેવા રોગોનું જોખમ પણ વધી શકે છે. ક્રાયોથેરાપી સોજો ઘટાડવામાં મદદ થઇ શકે છે. સોજો ઓછો થવાથી ઓવરઓલ સ્વાસ્થ્યમાં સુધારો આવી જાય છે. અને ઘણી જૂની બીમારીઓનું જોખમ પણ ઓછું થઇ જાય છે
ચિંતા અને ડિપ્રેશનમાં ઘટાડો
રીસર્ચમાં જોવા મળ્યું કે ક્રાયોથેરાપી સોજા ઘટાડી શકે છે, જે સૂચવે છે કે સોજા સાથે સંકળાયેલી માનસિક પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ છીએ. 2008ના એક અભ્યાસ મુજબ, ડિપ્રેશન અને એન્ગ્ઝાયટીના ત્રીજા ભાગના લોકોમાં ક્રાયોથેરાપીથી તેના લક્ષણોમાં 50 ટકાનો ઘટાડો થયો હતો.
ક્રાયોથેરાપી લેતી વખતે સાવચેત રાખવા જેવી બાબતો
ક્રાયોથેરાપી સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ ક્રાયોથેરાપી લેતા પહેલા તમારે ડોક્ટરની સલાહ લેવી જ જોઇએ. જો કે, ડોકટરો ક્રાયોથેરાપીનો ઉપયોગ મસા અથવા કેન્સરના કોષો જમાવા માટે પણ કરે છે, તેનો ઉપયોગ ફેશિયલ માટે કરે છે.
ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓએ ક્રાયોથેરાપી ન લેવી જોઈએ. ક્રાયોથેરાપી થોડી મિનિટોથી વધુ સમય માટે જીવલેણ બની શકે છે. ક્રાયોથેરાપી દરમિયાન કોઈએ સૂવું ન જોઈએ, નહીં તો તે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.