બે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલે સજા ભોગવી રહેલા ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમને જેલમાં શાકભાજીની ખેતી કરવી ખૂબ પસંદ આવી રહી છે. ગુરમીતે જેલમાં દોઢ ક્વિન્ટલ બટાકાની ખેતી કરી છે. જેલની 1000 યાર્ડની જમીનમાં ગુરમીતે ચારથી પાંચ લીલાં શાકભાજી પણ વાવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે તે જેલમાં ભારે મહેનતથી શાકભાજીની ખેતી કરી રહ્યો છે.
જોકે જેલમાં કરવામાં આવેલા કાર્યમાં ગુરમીતને હજુ સુધી કોઇ મહેતાણું મળ્યું નથી કેમકે કોર્ટે તેના તમામ ખાતાઓ સીલ કરી રાખ્યા છે. એવામાં જેલમાં ગુરમીતનો ખર્ચ પરિજનો દ્વારા અપાયેલા રૂપિયાથી ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સાધ્વીઓ સાથે દુષ્કર્મ મામલામાં ગુરમીતને CBIની સ્પેશિયલ કોર્ટે 25 ઓગસ્ટ 2017ના દિવસો દોષી જાહેર કર્યો હતો.
જે પછી ગુરમીત રામ રહીમ સુનારિયા જેલમાં બંધ છે. કોર્ટમાં તેને 28 ઓગસ્ટે 20 વર્ષની સજા સંભળાવી હતી. જેલના નિયમો મુજબ ગુરમીતને શ્રમ તરીકે ખેતીનું કામ સોંપવામાં આવ્યું હતું. આ માટે જેલ પ્રશાસને તેને 1000 યાર્ડની જમીન અપાવી હતી.
ગુરમીતે દરરોજ લગભગ 2 કલાક ખેતી કરીને બટાકા ટામેટા અને એલોવિરાની ખેતી કરી હતી. તેમાંથી બટાંટાનો પાક તૈયાર થઈ ગયો છે. લગભગ દોઢ ક્વિનટલ બટાકાની ઉપજ થઈ છે. એલોવિરાના છોડ પર ખૂબ મોટા થઈ ગયા છે. હવે તો માત્ર એલોવિરાને કાપવાનું કામ બાકી છે. તે સવાર-સાંજ યોગ અને ધ્યાન પણ કરે છે અને જેલમાં જ બનેલું ભોજન ખાય છે.
જેલના નિયમો અનુસાર કોઈપણ કેદીને તેના મહેનતાણાની રકમ રોકડમાં નથી આપવામાં આવતી. પ્રત્યેક કેદીના ખાતામાં ઓનલાઈન જ મહેનતાણાંની રકમ મોકલવામાં આવે છે. અદાલતના આદેશ પર ગુરમીતના બધા ખાતા સીલ કરી દેવામાં આવ્યા છે. એવામાં તેના ખાતામાં હજુ સુધી એકપણ રૂપિયા ટ્રાન્સફર કરાઈ શકાયો નથી.