વિરાટ કોહલીએ જાહેરાત કરી છે કે તેઓ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી 14 નવેમ્બરની વચ્ચે યોજાનારા ટી-20 વિશ્વ કપ બાદ આ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દેશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-20 ટીમ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી નથી. પરંતુ રોહિત શર્માને આ પદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.
ભારતના દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરની માંગ
રોહિત શર્મા આગામી બે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આગેવાની કરે
રોહિત શર્મા કેપ્ટનના પદ માટે પ્રબળ દાવેદાર
રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરે
દિગ્ગજ સુનીલ ગાવસ્કર ઈચ્છે છે કે વિરાટ કોહલીની જગ્યાએ બેટ્સમેન રોહિત શર્મા આગામી બે વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આગેવાની કરે. ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટસના કાર્યક્રમ ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું, હું આગામી બે વિશ્વ કપ માટે રોહિત શર્માને કેપ્ટનશિપમાં જોઈ રહ્યો છું.
રોહિત શર્મા ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન
રોહિત 2017થી જ કોહલીની સાથે વન-ડે ટીમમાં ભારતીય ટીમમાં વાઈસ કેપ્ટન છે. ગાવસ્કરે કહ્યું, તમે કહી શકો છો કે વિશ્વ કપનું આયોજન સતત થઇ રહ્યું છે. એક વિશ્વ કપ એક મહિનાની અંદર શરૂ થઇ જશે પછી એક વર્ષ પછી થઇ જશે. તેથી તમે આવી સ્થિતિમાં કેપ્ટનશિપમાં મોટો ફેરફાર કરી શકશો નહીં.
ટી-20 વિશ્વ કપમાં કેપ્ટન માટે રોહિત શર્મા મારી પ્રથમ પસંદ: ગાવસ્કર
ગાવસ્કરે વધુમાં કહ્યું, રોહિત શર્મા નિશ્ચિત રીતે આ બંને ટી-20 વિશ્વ કપમાં કેપ્ટનશિપ કરવા માટે મારી પહેલી પસંદ હશે. રોહિતની આગેવાનીમાં ભારતે 2018માં નિદહાસ ટ્રોફી ટી-20 ટુર્નામેન્ટ અને વન-ડે ફોર્મેટમાં રમાયેલો એશિયા કપ જીત્યો હતો. તેઓ આઈપીએલના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટન પણ છે. મુંબઈ ઈન્ડિયન્સે તેમની કેપ્ટનશિપમાં પાંચ વખત ખિતાબ જીત્યો છે.
ટી-20 ટીમની કેપ્ટનશિપ માટે આ વિકલ્પ
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અંગે ગાવસ્કરનું માનવુ છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત અત્યારે બે સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. ગાવસ્કરે કહ્યું, વાઈસ કેપ્ટનના પદ માટે કેએલ રાહુલનું નામ લઇશ.