ટીમ ઇન્ડિયા વર્લ્ડકપ 2019થી બહાર થઇ ગઇ છે. સેમીફાઇનલમાં એને ન્યૂઝીલેન્ડના હાથથી 18 રનનો સામનો કરવો પડ્યો. સેમીફાઇનલમાં મળેલી હારથી ટીમ ઇન્ડિયાના ઉપકેપ્ટન અને સલામી બેટ્સમેન રોહિત શર્મા સૌથી વધારે નિરાશ જોવા મળ્યો.
વર્લ્ડકપ 2019થી બહાર થયા બાદ રોહિત કેટલો નિરાશ હતો, એનો અંદાજો આ વાતથી લગાવી શકાય છે કે ટીમ ઇન્ડિયાને લંડનથી 14 જુલાએ પાછા આવવાનું હતું, પરંતુ ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત બે દિવસ પહેલા લંડનથી મુંબઇ રવાના થઇ ગયો. એને 13 જુલાઇએ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો.
મુંબઇ એરપોર્ટ પર રોહિત શર્મા પોતાના પરિવારની સાથે સ્પોટ થયો જ્યારે બાકી ટીમ 14 જુલાઇને ભારત પાછી આવશે. કેટલાક ખેલાડી દિલ્હી, કેટલાક મુંબઇ તો કેટલાક અલગ અલગ જગ્યાએ પહોંચશે કારણ કે ટિકીટોના કારણએ ટીમ ઇન્ડિયાને આવવામાં મોડું થયું.
ઉલ્લેખનીય છે કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રનોનો રેકોર્ડ કરનાર સ્ટાર ભારતીય ઓપનર રોહિત શર્મા સેમીફાઇનલમાં ભારતની હાર બાદ ખૂબ દુ:ખી થઇ ગયો હતો. રોહિતે આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 122, પાકિસ્તાનની સામે એને 140 રન, ઇંગ્લેન્ડની વિરુદ્ધ 102 રન, બાંગ્લાદેશની સામે 104 રન અને શ્રીલંકાની સામે રોહિત શર્માએ 103 રન બનાવ્યા.