સરકારના આ નિર્ણયથી દેશભરમાં એક સરખા PUCની શરૂઆત કરવામાં આવશે
PUCને લઈને નવા નિયમો
PUC ડેટાબેસને રાષ્ટ્રીય રજીસ્ટર સાથે જોડવા આવશે
સરકારે જાહેર કરી ગાઈડલાઈન
માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશભરમાં દરેક વાહનો માટે PUC સર્ટિફિકેટ બનાવવી અને PUC ડેટાબેસને રાષ્ટ્રીય રજીસ્ટર સાથે જોડવા માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989માં ફેરફાર બાદ, ક્યૂઆર કોડ પીયુસૂ ફોર્મ પર પ્રિન્ટ થશે અને તેમાં વાહન, માલિક અને ઉત્સર્જનની સ્થિતિની જાણકારી રહેશે. સરકારના આ પગલાથી દેશભરમાં એક સમાન પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્રની શરૂઆત કરવામાં આવશે.
સરકારે એક ઓફિશ્યલ નિવેદન જાહેર કરી તેની જાણકારી આપી. નિવેદનમાં કહેવામાં આવ્યું કે રિઝેક્શન સ્લિપની જોગવાઈ પહેલી વખત કરવામાં આવી રહી છે. જો કોઈના વાહનનું પ્રદૂષણ સ્તર નક્કી કરેલા પ્રમાણ કરતા વધારે છે તો વાહન માલિકને રિજેક્શન સ્લિપ આપવામાં આવશે. વાહન માલિક ગાડીની સર્વિસિંગના સમયે સર્વિસ સેન્ટરમાં આ સ્લિપને બતાવી શકે છે. જો પ્રદૂષણ માપન વાળા મશીનમાં ખરાબી છે તો વાહન માલિક કોઈ અન્ય કેન્દ્રમાં જઈ શકે છે.
મોબાઈલ નંબર રહેશે ફરજીયાત
ઓફિશ્યલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 હેઠળ દેશભરમાં જાહેર કરવામાં આવેલા પીયુસી પ્રમાણપત્રના એક સામાન્ય બંધારણ માટે 14 જૂન 2021એ એક સૂચના જાહેર કરી છે."
નિવેદન અનુસાર, નવા પીયુસીમાં વાહન માલિકનો મોબાઈલ નંબર, નામ અને એડ્રેસ, એન્જીન નંબર અને ચેસિસ નંબર હશે. જણાવવામાં આવ્યું છે કે. "માલિકનો મોબાઈલ નંબર જરૂરી કરી દેવામાં આવ્યો છે. જેના પર ચકાસણી અને ફી માટે એક એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે. જેનાથી વાહનની મુખ્ય જાણકારીની રાખી શકાય છે. તેમાં છેલ્લા ચાર અંક જ જોવા મળશે. બાકી નંબર નહીં જોવા મળે."
વાહન માલિક પર ક્યારે થશે પેનાલ્ટી
નિવેદન અનુસાર જો પ્રવર્તન અધિકારીની પાસે આ માનવાનું કારણ છે કે આ મોટર વાહન ઉત્સર્જન ધોરણની જોગવાઈઓનું પાલન નથી કરી રહી તો તે લેખિત રૂપમાં આ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા ડ્રાઈવર અથવા વાહનના પ્રભાવી વ્યક્તિને વાહનના અધિકૃત પીયુસી પરીક્ષણ સ્ટેશનોમાંથી કોઈ એકમાં પરીક્ષણ કરવા માટે કહી શકે છે. જો ચાલક કે વાહનના પ્રભારી વ્યક્તિ તેના માટે વાહન રજૂ કરવામાં નિષ્ફળ નિવડે છે તો વાહનના માલિક પેનાલ્ટીની ચુકવણી માટે ઉત્રદાયી રહેશે.