હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહયુ છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બજેટની જોગવાઈમાં નવી જાહેરાત કરવામાં આવી છે. 40થી વધુ શહેરી વિસ્તારના ધારાસભ્યને લઈને મહત્વનો નિર્ણય જાહેર કરાયો છે.
આ નિર્ણય મુજબ ધારાસભ્યોને 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. ધારાસભ્ય દીઠ શહેરી માર્ગો બનાવવા અને મરામત માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. જો કે ધારાસભ્યોએ માર્ગ બનાવવા અને મરામત માટે AMCની મંજૂરી લેવી પડશે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 17, 2019
ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ ડાકોરમાં રૂપિયા 80 કરોડના ખર્ચે નવો ફ્લાયઓવર બનાવશે. જ્યારે દહેજ અને ભરૂચ વચ્ચે શ્રવણ ચોકડી પર ફ્લાય ઓવર બનશે. આ ઉપરાંત પાલનપુર એરોમા સર્કલ પર રૂપિયા 100 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે.