કોરોના સામેની લડતમાં વેક્સિન કેટલી ઉપયોગી છે તે મુંબઈની હોસ્પિટલમાં ઑક્સીજન બેડ પર રહેલા દર્દીઓના આંકડા વાંચીને તમે પોતે જ સમજી જશો
વેક્સિન ન લીધી હોય તે લોકો માટે ખતરાની ઘંટી
મુંબઈના દાખલ થયેલા દર્દીઓમાં થયો અભ્યાસ
96 ટકા દર્દીઓએ વેક્સિન નથી લીધી
કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટને અત્યાર સુધી વીક માનવામાં આવતો હતો. કારણ કે ગયા વર્ષમાં ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓછો જીવલેણ હોવાની માહિતી મળી હતી પરંતુ જો કોઇ વ્યક્તિએ વેક્સિન નથી લીધી તો તેના માટે તો ઓમીક્રોન ખતરનાક સાબિત થઈ શકે છે.
BMC દ્વારા આપવામાં આવી જાણકારી
મુંબઈના કોરોનાના આંકડા આ વાતની આબિટી આપે છે કે કોરોનાના કે સંક્રમિત લોકોને ઑક્સીજન સપોર્ટની જરૂર પડી છે તે લોકોમાં મોટા ભાગના લોકોએ વેક્સિન લીધી નથી. બૃહતમુંબઇ નગરપાલિકા BMC દ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી હતી.
મુંબઈમાં 96 ટકા દર્દીઓ વેકસીનેટેડ નથી
છ જાન્યુઆરી સુધીના આંકડાઓ જોઈએ તો BMC ના કમિશનર ઇકબાલ ચહલે કહ્યું હતું કે ઑક્સીજન બેડ પર 1900 દર્દીઓ કોરોનાનાં છે અમે તેમાંથી 96 ટકા દર્દીઓ એવા છે કે જેમણે વેક્સિન લીધી નથી. જ્યારે માતર ચાર ટકા જ દર્દીઓ એવા છે કે જેમણે વેક્સિન લઈ રાખી છે.
શહેરોની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં કોઓર્ડીનેટર અને બોમ્બે હોસ્પિટલના ડૉક્ટર ગૌતમ ભણસાલીએ કહ્યું હતું કે હોસ્પિટલ્સમાં દાખલ થયેલા તમામ કેસમાં વેક્સિન લઈ ચૂકેલા અને ન લીધેલા બંને ટાઈપના પેશન્ટ્સ છે પણ વધારે લોકો એવા જ છે જેમણે વેક્સિન લીધી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દર્દીઓની ઉંમર 40 થી 50 વર્ષની વચ્ચ એછે અથવા તો તેનાથી પણ વધારે છે. જે દર્શાવે છે કે દરેક નાગરિક માટે કોરોનાની વેક્સિન લેવી કેટલી જરૂરી છે.
શ્વસન તંત્ર પર અસર તો કરે જ છે
સંક્રામક રોગના જાણીતા એક્સપર્ટ અને કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર એવા ડૉક્ટર ઓમ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ઘણા લોકોએ કેસમાં વધારો થયા બાદ વેક્સિન લેવાનું શરૂ કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે આ વિષય પર ઊંડો અભ્યાસ ચાલી રહ્યો છે પણ હજુ સુધી આ વિષે ખાસ કોઈ અભ્યાસ સામે આવ્યો નથી.
તેમણે કહ્યું હતું કે દર્દીઓની સંખ્યા એ તરફ નિર્દેશ કરે છે કે કઈ રીતે વેક્સિન ન લેનાર લોકો માટે ઓમિક્રોન ખતરનાક છે. ડૉક્ટર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર ઓમિક્રોન શરીર પર ખાસ તો શ્વસન તંત્ર પર અસર કરે છે. અને આ વખતે ત્રીજી વેવમાં ઑક્સીજનની જરૂર નથી.