રિહાના ફરી એક વાર ચર્ચામાં આવી છે અને આ વખતે ટૉપલેસ ફોટાને લઇને છે, જેમાં તેમના ગળામાં ભગવાન ગણેશનું લૉકેટ નજરે આવી રહ્યું છે. જેને લઇને લોકો ભડક્યા છે.
પૉપ સિંગર રિહાના ટૉપલેસ ફોટોશૂટને લઇને આવી ચર્ચામાં
રિહાનાએ ગળામાં ભગવાન ગણેશનું લોકેટ પહેરીને કરાવ્યું ફોટોશૂટ
ભાજપ પ્રવક્તા રામ કદમ ભડક્યા
પૉપ સિંગર રિહાના પોતાના ગીત અને ફેશન સેન્સને લઇને ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ તેમણે ખેડૂત આંદોલનને લઇને ટ્વિટ કર્યું હતું, જેના કારણે તે ઘણી ચર્ચામાં રહી. હવે ફરી એકવાર રિહાના ચર્ચામાં આવી ગઇ છે. આ વખતે તે પોતાના એક ફોટોશૂટના કારણે લાઇમલાઇટમાં છે.
રિહાનાએ આપ્યો ટૉપલેસ પોઝ
જોકે, રિહાનાએ લૉન્ઝરી બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ટૉપલેસ પોઝ આપી રહી છે. સાથે જ તેમણે કેટલીક એક્સેસરીઝ પણ પેરેલી છે. તેમણે ગળામાં ભગવાન ગણેશનું પેંડેન્ટ પણ પહેર્યું છે, જેના કારણે તે ટ્રોલ્સના નિશાને પણ આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર તેમના ફેશન સેન્સની આલોચના કરવામાં આવી રહી છે.
ફોટો શેર કરતા રિહાનાએ લખ્યું કે, when PopcaanMusic said “me nuh wan ya wear no lingerie tonight fa me girl”.
રામ કદમે ટ્વિટ કરીને કહ્યું કે, રિહાનાએ જે પ્રકારે આપણા હિંદુ દેવતા ભગવાન ગણેશની મજાક ઉડાવી છે તે ખુબ ખરાબ છે. આ સાબિત કરે છે કે, ઇન્ડિયન કલ્ચર અંગે રિહાનાને કંઇ પણ ખબર નથી અને આના પ્રત્યે કોઈ સન્માન નથી. આશા છે કે ઓછામાં ઓછુ હવે તો રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ લીડર્સ તેની મદદ લેવાનું બંધ કરે.
It's appalling to see how @Rihanna shamefully mocks our beloved Hindu God #Ganesha. This exposes how #Rihanna has no idea or respect for Indian culture, tradition and our issues here. Hopefully, at least now @RahulGandhi and other Congress leaders will stop taking help from her https://t.co/7zUpnO05GL
રિહાનાની તસવીર પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, મેં જોયું નથી પણ ભારતમાં સનાતન ધર્મ બહુ સહિષ્ણુ છે. બહુજ ધૈર્યવાન છે, જેનો દુરુપયોગ ફિલ્મ બનાવવા વાળા, એડવર્ટાઇઝમેન્ટ કરવા વાળા, ટુકડે-ટુકડે ગેંગ વાળા જેમને જે મનમાં આવે તે આપણા દેવી દેવતાઓને લઇને કટાક્ષ કરે છે. પરંતુ ક્યારેય કોઇ બીજા ધર્મનું કોઈ સ્કેચ કરી દે છે તો સમગ્ર દુનિયામાં હડકંપ મચી જાય છે. આ આપણા ધૈર્યની પરીક્ષા છે આપણે ત્યાં ધૈર્ય પણ છે અતિ સર્વત્ર વર્જિત. હવે પરીક્ષા ધૈર્યની નહીં લેવી જોઇએ કારણ કે અતિ સર્વત્ર વર્જિત હોય છે.
ખેડૂત આંદોલનના સમર્થનમાં કર્યું હતું ટ્વિટ
જાણ થાય કે 2 ફેબ્રુઆરીએ રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, આપણે આ અંગે વાત કેમ નથી કરી રહ્યા? #FarmersProtest
આના પર એક્ટ્રેસ કંગના રનૌતે જવાબ આપતા લખ્યું હતું કે, આ અંગે કોઇ પણ વાત એટલા માટે નથી કરી રહ્યા કારણ કે ખેડૂત નથી પરંતુ આતંકવાદી છે જે ભારતને વહેંચવા માંગી રહ્યા છે. જેથી ચીન જેવા દેશ આપણા રાષ્ટ્ર પર કબજો જમાવી લે અને અમેરીકા જેવી ચાઇનીઝ કોલોની બનાવી દે. તમે શાંતીથી બેસો પાગલ. ત્યારબાદ મામલો વધુ ચગ્યો હતો.