રાજકોટવાસીઓના ઘરોમાં આવતું પાણી હવે મોંઘું થવાની તૈયારીમાં છે. ત્યારે રાજકોટવાસીઓ પર પાણીવેરાનો બોજ વધે તેવી શક્તાઓ છે. મહાનગરપાલિકાના બજેટમાં પાણી વેરો વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે.
રાજકોટમાં પાણીવેરો વધવાની શક્યતા
પાણીવેરો વધારવા RMCની વિચારણા
સબસિડીનો ખર્ચ વધ્યો હોવાની દલીલ
રાજકોટવાસીઓના ઘરોમાં આવતું પાણી હવે મોંઘું થવાની તૈયારીમાં છે. ત્યારે રાજકોટવાસીઓ પર પાણીવેરાનો બોજ વધે તેવી શક્તાઓ છે. રાજકોટ મહાનગરપાલિકાના બજેટમાં પાણી વેરો વધારવાની વિચારણા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકાને કોર્પોરેશનની વેરાની આવકમાંથી ખર્ચ પણ નીકળતો નથી. ત્યારે હવે રાજકોટ મહાનગર પાલિકા 12 વર્ષ બાદ પાણી વેરો વધારવાનું વિચારી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
આજી ડેમમાં સૌની યોજના હેઠળ ઓછામાં ઓછું બે વખત નર્મદાના નીર ઢાલવવામાં આવે છે
મહાનગર પાલિકા દ્વારા નર્મદા બંધથી પાણી રાજકોટ પાઈપલાઈન મારફતે લાવવામાં આવે છે. આજી ડેમમાં સૌની યોજના હેઠળ ઓછામાં ઓછું બે વખત નર્મદાના નીર ઢાલવવામાં આવે છે. ત્યારે પાઈપલાઈન દ્વારા આવતા પાણીનું બિલ વર્ષે 20 કરોડ રૂપિયા જેટલું આવે છે. સૌની યોજનાના પાણીનું બિલ પણ 100 કરોડ રૂપિયા આસપાસ થઈ ગયું છે. જેને લીધે હવે આવકનો સ્ત્રોત ઉભો કરવા કરવેરામાં વધારો કર્યા સિવાય છુટકો નહી હોવાનો મત રજૂ થયો છે.
ચાલુ વર્ષમાં વેરાની આવક 30 કરોડ સુધી પહોંચી છે અને 34 કરોડ થવાની શક્યતા
મહાનગરમાં લગભગ 3.34 લાખ જેટલા નળ કનેક્શન છે. ત્યારે ચાલુ વર્ષમાં વેરાની આવક 30 કરોડ સુધી પહોંચી છે અને 34 કરોડ કુલ પહોંચે તેવું લાગે છે. અગાઉના વર્ષમાં 20 કરોડથી વધુ પાણી વેરાની આવક થતી ન હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘર ઘર સુધી રૂ.2.30 માં પાણી પહોચાડાઈ રહ્યું છે. ત્યારે વર્ષ 2008 માં પાણી વેરો વધારીને રૂપિયા 840 કરવામાં આવ્યો હતો. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં અગાઉ પણ પાણીવેરો વધારવાની દરખાસ્ત આવી હતી. ત્યારે 85 ટકા સબસિડીને કારણે વોટરવર્કસનો ખર્ચ વધ્યો હોવાથી વેરો વધારવાની વિચારણા ચાલી રહી છે.