સંશોધકોનુ કહેવું છે કે, દિવસમાં ઓછામાં ઓથા છ વખત હાથ ધોઇને અને ચહેરો ઢાંકીને કોરોના સંક્રમણનો ખતરો ૯૦ ટકા સુધી ઘટાડી શકાય છે. માસ્ક લગાવો તો ૯૦ ટકા ડ્રોપલેટ્સથી થતુ સંક્રમણ રોકી શકાય છે. હાઇજીનના આ બંને જરૂરી ઉપાયો પર કરવામાં આવેલા રિસર્ચમાં પણ લગભગ એ જ વાતો બહાર આવી છે, જે દરેક દેશના નિષ્ણાતો અને સરકાર કહી રહી છે.
એડિનબર્ગ યુનિવર્સીટીના સંશોધકોએ સાત અલગ અલગ પ્રકારે ચહેરો ઢાંકનારા માસ્ક પર રિસર્ચ કર્યું હતું. તેમાં મેડિકલ માસ્ક અને હોમમેઈડ માસ્ક પણ સામેલ છે. સંશોધકોનું કહેવું છે કે, તે પણ કોરોનાને રોકે છે. ઘરે બનેલા માસ્ક હોય કે સર્જિકલ, તે બધા સીધી રીતે આવતા વાઈરસને રોકવામાં સફળ રહે છે.
માસ્ક હવાના ફ્લોને રોકે છે
સંશોધકોનું કહેવું છે કે, કેટલાક માસ્ક એવા હોય છે, જેમાં કિનારીઓથી ઝડપથી હવા અંદર જતી રહે છે. જ્યારે સર્જિકલ અને ટેસ્ટેડ હોમમેઈડ માસ્ક હવાના ફ્લોને રોકે છે. માસ્કમાં ચારે બાજુથી હવા જવાની જગ્યા નથી તો તે સૌથી વધુ સુરક્ષિત છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ અપીલ કરી હતી કે, અમેરિકી લોકો કપડાં કે ફેબ્રિકથી બનેલા માસ્ક પહેરે. આ પ્રકારના માસ્ક હોય તો ઓનલાઇન ખરીદી શકાય છે કે પછી તેને ઘરે પણ બનાવી શકાય છે. સામાન્ય લોકોએ મેડિકલ ગ્રેડ માસ્ક ન પહેરવું જોઇએ, કેમકે તે ખુબ જ ઓછા છે અને લોકોનો જીવ બચાવવામાં લાગેલા મેડિકલ સ્ટાફ માટે તેની ઉપલબ્ધતા બહુ જરૂરી છે.
વાયરસ સાબુના પાણીમાં ખતમ થઇ જાય છે
યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોનું કહેવું છે કે, કોરોના જેવા ખતરનાક વાઈરસના સંક્રમણથી બચવા માટે રોજ ઓછામાં ઓછા ૬ વખત અને વધુમાં વધુ ૧૦ વખત હાથ ધોવા જરૂરી છે. ૨૦૦૬થી ૨૦૦૯ની વચ્ચે ફેલાયેલી મહામારીના આંકડાઓ મુજબ તેને સાબુ અને પાણીથી ખતમ કરી શકાય છે