દેશ અને દુનિયામાં ફરી કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ સ્થિતિ ચિંતાજનક બની છે. દરેકની નજર કોરોના વેક્સીન પર બની રહી છે ત્યારે એક અન્ય શોધમાં જાણવા મળી રહ્યું છે કે O બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો રહે છે. આ સાથે જ RH Negative બ્લડ ગ્રૂપના લોકોને કોરોનાનો ખતરો ઓછો રહે છે. આ સાથે શરીરમાં વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો ખતરો ઓછો રહે છે.
દેશ અને દુનિયામાં કોરોના બન્યો ખતરનાક
O બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછો
વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો ખતરો ઓછો
અનલ્સ ઓફ ઈન્ટરનેશનલ મેડિસિનમાં મંગળવારે કરાયેલી શોધમાં જાણવા મળ્યું કે ટાઈપ ઓ અને આરએચ નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને કોરોનાનો ખતરો ઓછો જોવા મળે છે. શોધમાં 2,25,556 લોકોને સામેલ કરાયા છે. જે લોકોનો ટેસ્ટ કરાયો છે તેમાં બ્લડ ગ્રૂપ એ, એબી, બીની અપેક્ષાએ કોરોના પોઝિટિવ આવવાનો ખતરો 12 ટકા અને ગંભીર કોરોનાના મોતનો ખતરો લગભગ 13 ટકા ઓછો રહે છે. જે લોકોનો બ્લડ ગ્રૂપનો આરએચ નેગેટિવ છે તેમને કોરોનાથી બચાવ કરી શકાશે. સૌથી ઓછો ખતરો ઓ નેગેટિવ બ્લડ ગ્રૂપના લોકોને છે.
એન્ટીબોડીને લઈને પણ આ વાતો આવી છે સામે
ટોરંટો સેન્ટ માઈકલ હોસ્પિટલના ડોક્ટર અને શોધકર્તાના અનુસાર આ લોકોમાં કોરોના વાયરસને માટે ખાસ એન્ટીબોડી હોય છે. તેમનું કહેવું છે કે હવે તેમની અન્ય શોધ તેમના એન્ટીબોડીને લઈને હશે. શોધમાં કહેવાયું છે કે ગંભીર કોરોનાના કેસમાં વિટામીન ડી નિષ્ફળ રહ્યું છે.
કોરોના સંક્રમણને લઈને કરાયો છે આ દાવો
વિટામિન ડી અને કોરોના વાયરસના સંક્રમણને લઈને અનેક દાવા કરાયા છે. શોધમાં શરીરમાં ઓછામાં ઓછું વિટામીન ડીનું સ્તરનો ખતરો વધ્યો છે. તેમાં જાણવા મળી રહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણનો ખતરો ઓછો નથી. ગંભીર રીતે બીમાર કોરોના દર્દીને વિટામિન ડીની સાથે તેના આઈસીયુમાં ન જવાનો અને હોસ્પિટલમાં તેમનો સમય ઓછો હોવામાં કોઈ મદદ મળતી નથી.