દિલ્હીમાં આ વખતનો ગણતંત્ર દિવસ જરાં ખાસ રહેવાનો છે. કોરોનાને જોતા અમુક આકરાં નિયમો બનાવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે આ અંગે નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે.
દિલ્હીમાં ગણતંત્ર દિવસ માટે ચૂસ્ત સુરક્ષાવ્યવસ્થા
દિલ્હી પોલીસે દર્શકો માટે નવા નિયમો જાહેર કર્યાં
આ વખતે પરેડ દર્શનમાં બાળકોને નો એન્ટ્રી
દેશભરમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ ધૂમધામથી મનાવામાં આવે છે. કોરોના મહામારીનો કહેર લગભગ તમામ તહેવારો પર દેખાઈ રહ્યો છે. આ જ કારણ છે કે, દેશમાં વધી રહેલા કોરોનાના કેસોની વચ્ચે દિલ્હી પોલીસે આ વર્ષે પણ કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતાં ગણતંત્ર દિવસ પર આયોજીત કરવામાં આવેલી પરેડ સમારંભ માટે ખાસ દિશા નિર્દેશો જાહેર કર્યા છે. દિલ્હી પોલીસ તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડમાં શામેલ થનારા લોકોને કોવિડ વિરુદ્ધ સમગ્ર પણે રસીકરણ થયેલા હોવા જરૂરી છે. એટલે કે, કોરોનાની બંને વેક્સિન લઈ ચુકેલા લોકો જ આ પરેડને જોઈ શકશે. આ સાથે જ 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સમારંભમાં શામેલ થવાની મંજૂરી આપવામાં આવી નથી.
કોરોનાના વધતાં ખતરાને જોતા આ વખતે ગણતંત્ર દિવસ સમારંભ પર તેની અસર વર્તાઈ રહી છે. આ જ કારણ છે કે, દિલ્હી પોલીસે ખાસ નિયમો બનાવ્યા છે. આ નિયમો અંતર્ગત 26 જાન્યુઆરીએ રાજપથ પર થનારા કાર્યક્રમોમાં લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું ફરજીયાત છે. જેમ કે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવું જરૂરી છે. દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ આ નિયમોનું કોઈ પણ ઉલ્લંઘનને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ આપી દીધાં છે.
આ છે દિલ્હી પોલીસ તરફથી જાહેર કરેલી ગાઈડલાઈન
સવારે 7 કલાકે વિઝિટર્સને બેસવા માટે બ્લોક ખોલી દેવામાં આવશે
વિઝિટર્સને અપીલ રહેશે કે, કોરોના પ્રોટોકોલનું પાલન કરતાં નિયત સ્થાન ગ્રહણ કરી લેવું
વિઝિટર્સે વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવા જોઈએ
પોતાની સાથે વેક્સિન સર્ટિફિકેટ લાવવું ફરજિયાત છે
ગણતંત્ર સમારંભમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને નો એન્ટ્રી
મર્યાદિત સંખ્યામાં પાર્કિંગની વ્યવસ્થા હોવાથી કાર પૂલ અથવા ટેક્સીથી આવો
કાર લાવતા લોકો માટે રિમોટ કંટ્રોલ કાર લૉક ચાવી રાખવાની વ્યવસ્થા દરેક પાર્કિંગમાં હશે
તમામને અનુરોધ છે કે, સુરક્ષા ચેકીંગમાં પુરતો સહયોગ આપવો
વિઝિટર્સે પોતાની સાથે ઓળખાણ પત્ર રાખવો, જેમ કે આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેર સાથે લઈને આવવું.
27 હજાર પોલીસ કર્મીઓ તૈનાત
દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ એક દિવસ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વખતે ગણતંત્ર દિવસ સમારંભ પર રાજધાનીમાં 27,000થી વધારે જવાનો તૈનાત કરી દેવામા આવ્યા છે. અસ્થાનાએ કહ્યું કે, કુલ દળમાં 71 ડીએસી, 213 એસપી, 713 નિરીક્ષક, દિલ્હી પોલીસ કમાંડો, સશસ્ત્ર બટાલિયન અધિકારી અને જવાન તથા કેન્દ્રીય ફોર્સની 65 કંપનીઓ શામેલ છે.
અસ્થાનાએ વધુંમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી પોલીસ રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદ વિરુદ્ધ આકરાં પગલા ઉઠાવી રહી છે. આ વર્ષે પણ અમે એકદમ એલર્ટ છીએ. હવાઈ અંતરિક્ષ સુરક્ષા માટે પણ કાઉંટર ડ્રોન ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે. અસ્થાનાએ કહ્યું હતું કે, જે વિસ્તારમાં ગણતંત્ર દિવસ સમારંભ થશે ત્યાં તેની આસપાસની સુરક્ષા પણ દિલ્હી પોલીસ અને અન્ય એજન્સીઓની મદદથી સુરક્ષિત કરી દેવામાં આવી છે.