બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / remedies do these 3 measures on tuesday to get bajrangbali upay

મંગળવારના ઉપાય / હનુમાન દાદાને પ્રસન્ન કરવાના ત્રણ ચમત્કારિક ઉપાય: આર્થિક તંગી, સંકટ અને રોગોથી મળશે છૂટકારો

Bijal Vyas

Last Updated: 11:42 AM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે કરો આ 3 ઉપાય જે વ્યક્તિને તરત જ ફળ પ્રદાન કરે છે

  • મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે 
  • સાચા મન અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે
  • હનુમાનજી સંકટ હરનારા દેવ છે 

ધાર્મિક શાસ્ત્રો અનુસાર અઠવાડિયાના દરેક દિવસ કોઇને કોઇ દેવી-દેવતાને સમર્પિત છે. મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાચા મન અને પૂરી શ્રદ્ધાથી કરવામાં આવેલી પૂજા વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે કરો આ 3 ઉપાય જે વ્યક્તિને તરત જ ફળ પ્રદાન કરે છે. મંગળવારના દિવસે કરવામાં આવેલા ત્રણ ઉપાય વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. 

મંગળવારના દિવસે કરો આ ઉપાય 
1. સંકટોથી મળે છે મુક્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઇ જાતકના જીવનમાં એક બાદ એક સંકટ આવતા હોય તો મંગળવારના દિવસે આ ઉપાય કરી શકાય છે. તે માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. હનુમાન મંદિર જાઓ અને તેમને લાલફૂલ, માળા, દેસી ઘીનો દીવો અને લાડુનો ભોગ લગાવો. ત્યાર બાદ ત્યાંજ બેસી જાઓ અને 108 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. પછી ત્યાં બીજા 10 મંગળવાર (કુલ 11) સુધી આ ઉપાય કરો. આમ કરવાથી દરેક સંકટથી મુક્તિ મળશે. 

2. આર્થિક સમસ્યાને દૂર કરવા
જો તમે આર્થિક સમસ્યાઓમાંથી પસાર થઇ રહ્યા છો અને ઝડપથી તેમાંથી નીકળવા માંગો છો તો મંગળવારના દિવસે વાંદરાને પોતાના હાથથી ગોળ, ચણા, કેળા અને મગફળી વગેરે ખવડાવો. એટલુ જ નહીં તેમના માટે પાણી ભરીને રાખો. કહેવાય છે કે વાંદરાની આ રીતે સેવા કરવાથી ભક્તોને ઝડપથી આર્થિક સમસ્યા દૂર થાય છે. 

3. બીમારીથી છુટકારો મેળવવા
મંગળવારના દિવસ સવારે હનુમાનજીના મંદિરે જાઓ. ત્યાં વિધિવિધાન સાથે પૂજા કરો. ત્યાર બાદ ત્યાં બેસીને હનુમાનબાહુકનો 108 વખત પાઠ કરો. ત્યાર બાદ આ ઉપાય પ્રતિદિન કરો. આ ઉપાય કરવાથી ઝડપથી બીમારીથી છુટકારો મળશે અને વ્યક્તિ સ્વસ્થ્ય બનશે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ