વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે પીએમ મોદીએ GST ધરાવતા વેપારીઓ માટે મહત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીની જાહેરાત બાદ હવે GST ધરાવતા વેપારીઓને 1 કરોડ સુધીની લોનના વ્યાજમાં વધુ 2 ટકાની રાહત મળશે.
અત્યાર સુધીમાં સરકાર દ્વારા 3 ટકા વ્યાજની રાહત આપવામાં આવતી હતી ત્યારે હવે તેને વધારીને 5 ટકાની રાહત આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોપિંગ ફેસ્ટિવલને સંબોધતા જણાવ્યુ હતુ કે ટેક્સટાઈલ હેન્ડિક્રાફટ્સ અને લેધર મેન્યુફેક્ચરર્સને પણ વ્યાજમાં રાહત આપવામાં આવશે.
આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મરચન્ટ એક્સપોર્ટર્સને કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવતી ન હતી. આમ પીએમની જાહેરાત બાદ હવે મરચન્ટ એક્સપોર્ટર્સેને પણ 2 ટકા વ્યાજનો લાભ આપવામા આવશે.
સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ સરકારની તિજોરીમાંથી 600 કરોડ રૂપિયાનો ઘટાડો થશે. પીએ મોદીની આ જાહેરાત બાદ નાના એક્મોના એકસ્પોર્ટને વધારે રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકારે જીએસટીમાં આવતી કેટલીક વસ્તુઓ અને સેવાના સ્લેબમાં ફેરફાર કર્યો હતો. 2019 પહેલા મોદી સરકારે નાના વેપારીઓને મોટી ભેટ આપી હતી.
નાણાં પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાના વેપારીઓને રાહત આપવાના મુદ્દે સહમતી બની હતી.
કંપોજીશન સ્કીમની સીમા 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ વાતને સમજીએ તો દોઢ કરોડનું ટર્ન ઓવર કરાવનાર કંપનીઓ આ સ્કીમમા ફાયદો ઉઠાવી શકશે. નવો નિયમ 1 એપ્રીલથી લાગૂ થશે.
આ સિવાય GST કાઉન્સીલે GSTની સીમાઓ વધારી છે. હાલ 20 લાખ રૂપિયાથી વેપાર કરનાર GSTના દાયરાઓમાં આવતા હતા હવે તેની સીમા વધારીને 40 લાખ ટર્ન ઓવર કરવામા આવેલ છે. આનાથી નાના વેપારીઓ GSTના દાયરાઓમાંથી બહાર આવી જશે અને રજિસ્ટ્રેશન કરવાની કોઈ માથાકુટ નહી રહે.