Reliance Infra sells HQ in Mumbai's Santacruz to YES Bank for Rs 1200 cr The entire proceeds from the sale of Reliance Centre in Santacruz will be utilised to repay YES Bank's debt.
કારોબાર /
અનિલ અંબાણીએ વધુ એક કંપની વેચી, રોકાણકારોને પણ બખ્ખાં, દેવું ઓછું કરવા 3 મહિનામાં કર્યા 3 મોટા કામ
કંપનીએ જારી કરેલા નિવેદન અનુસાર, રિલાયન્સ સેન્ટરના વેચાણથી જે પૈસા ઉપજશે તેમાંથી યસ બેન્કનું દેવું ચૂકવાશે. કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આનાથી રિલાયન્સ પર યસ બેન્કનું દેવું 4,000 કરોડથી ઘટીને 2,000 કરોડ રહી જશે. કંપની 2021 સુધી દેવામુક્ત બનવા માગે છે.રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વેચાણ થયું હોવા છતાં પણ તેના રોકાણકારો માલામાલ થયા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 9 ટકાના વધારા સાથે બંધ થતા રોકાણકારોને તડાકો પડ્યો હતો.
માર્ચ 2018 માં અનિલ અંબાણીની મદદે આવેલા મોટાભાઈ મુકેશ અંબાણીએ રિલાયન્સ કમ્યુનિકેશનનો વાયરલેસ બિઝનેસ ખરીદી લીધો હતો જેમાં 43 હજાર ટાવર સામેલ હતા. ટાવરની સાથે ફાયબર નેટવર્ક પણ સામેલ હતું. આ ડીલને કારણે મુકેશ અંબાણીને તેમની નવી કંપની રિલાયન્સ જિઓના નેટવર્કને મજબૂત કરવાની તક મળી. પાછળથી મુકેશ અંબાણીએ તેમનો ટાવર બિઝનેસ કેનેડાની બ્રુફફીલ્ડ ઈન્ફ્રા.ભાગીદાર એલપીને રુ. 25,215 કરોડમાં વેચી દીધો હતો.
હવે દિલ્હીનો પાવર ઉદ્યોગ પણ વેચશે અનિલ અંબાણી
મુંબઈનો પાવર બિઝનેસ ગૌતમ અદાણીને વેચ્યા બાદ હવે અનિલ અંબાણીએ દેવું ચુકવવા માટે દિલ્હીનો પાવર બિઝનેસ પણ વેચવા માગે છે. અનિલ અંબાણી બીએસઈએસ રાજધાની પાવર લિમિટેડ અને બીએસઈએસ યમુના પાવર લિમિટેડમાં રિલાયન્સની 51 ટકા હિસ્સેદારી પણ વેચવા માગે છે.
જાન્યુઆરીમાં રિલાયન્સ ઈન્ફ્રાએ પાર્વતી કોલડેમ ટ્રાન્સમિશન કંપનીમાં તેની બધી 74 ટકા હિસ્સેદારી ઈન્ડીયા ગ્રીડ ટ્રસ્ટને વેચી નાખી હતી. ફેબ્રુઆરીમાં રિલાયન્સે ડીએ ટોલ રોડમાં તેની 100 ટકા હિસ્સેદારી વેચી નાખી.
5 પેટા કંપનીઓની હિસ્સેદારી વેચવાની યોજના
રિલાયન્સ તેની 5 પેટા કંપનીઓની હિસ્સેદારી વેચવાની યોજના બનાવી રહી છે તેમાં રિલાયન્સ જનરલ ઈન્સોરન્સ, રિલાયન્સ નિપ્પોન, રિલાયન્સ અસેટ કન્ટ્રક્શન, રિલાયન્સ ફાઈનાન્સિયલ અને રિલાયન્સ સિક્યુરીટી સામેલ છે.