જો તમે PM ખેડૂત સમ્માન નીધિમાં હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો 31 માર્ચ સુધી કરાવી લો. આવુ કરવાથી તમને ડબલ ફાયદો થશે.
PM ખેડૂત સમ્માન નીધિ યોજનામાં કરો અપ્લાય
31 માર્ચ પહેલા કરી લેજો અપ્લાય મળશે ફાયદો
31 માર્ચ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહી
31 માર્ચ પહેલા જો તમે અપ્લાય કરશો તો તમારી એપ્લિકેશન એક્સેપ્ટ થઇ જશે અને 2000 રૂપિયા પણ મળશે. કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને ત્રણ હપ્તામાં પૈસા ટ્રાંસફર કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી સરકારે 7 હપ્તામાં પૈસા મોકલવાની વાત કરી છે.
કેવી રીતે ઘરે બેઠા કરશો અપ્લાય
અધિકારીક વૅબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ
ત્યાં તમારે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનુ રહેશે અને નવુ પેજ ઓપન થશે.
રજીસ્ટ્રેશન ફોર્મમાં બધી જાણકારી ભરવાની રહેશે
તમે ક્યા રાજ્યમાં રહો છો, ક્યો જીલ્લો છે, બ્લોક કે ગામની જાણકારી આપવાની રહેશે.
હવે તમારે બેઁકની ડિટેઇલ્સ આપવાની રહેશે
બધી જાણકારી આપ્યા બાદ ડિટેલ્સને સેવ કરી દો
એપ્લિકેશનની સ્થિતિ જાણવા માટે હેલ્પલાઇન નંબર 01124300606 પર રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર સીધો સંપર્ક કરી શકો છો.
ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરાવવુ ખુબ આસાન છે. તમે ઓનલાઇન ઘરે બેસીને જ સંપૂર્ણ પ્રોસેસ પૂરી કરી શકો છો. તે સિવાય તમે પંચાયત સચિવ કે સ્થાનીક કોમન સેન્ટર દ્વારા પણ આ યોજના માટે અપ્લાય કરી શકો છો.
રજીસ્ટ્રેશન સમયે આપવી પડશે આ જાણકારી
2019માં શરૂ થયેલી આ યોજનામાં છેલ્લા થોડા સમયમાં ગરબડ થઇ હતી. જેને સુધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. જ્યારે પણ આ યોજનામાં ફોર્મ ભરો ત્યારે પોતાની જમીનનો પ્લાન્ટ નંબર પણ જણાવવો પડશે.