ન્યૂ દિલ્હીઃ દેશનાં પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને ચેતવણી આપતા જણાવ્યું કે કૃષિ અને નાણાંકીય વ્યવસ્થાનાં દબાવમાં હોવાંથી ભારતીય અર્થવ્યવસ્થા કેટલાંક સમય માટે મંદીનાં માર્ગે જઇ શકે તેમ છે. "ઓફ કાઉન્સેલઃ ધ ચેલેન્જેજ ઓફ ધ મોદી-જેટલી ઇકોનોમી"નાં વિમોચનનાં મોકા પર તેઓએ કહ્યું કે નોટબંધી અને જીએસટી લાગુ કરવા પર દેશની અર્થવ્યવસ્થાની ગતિ મંદ થઇ ગઇ.
તેઓએ કહ્યું કે બજેટમાં વસ્તુ અને સેવા કર (જીએસટી)થી મહેસૂલી વસૂલીનું લક્ષ્ય તર્કસંગત નથી. તેઓએ જણાવ્યું કે બજેટમાં જીએસટી પાસેથી વસૂલી કરવા માટેનું લક્ષ્ય રાખવામાં આવેલ છે કે જે વ્યવહારિક નથી. હું સ્પષ્ટ રીતે કહીશ કે બજેટમાં જીએસટીને માટે અતાર્કિક લક્ષ્ય રાખવામાં આવેલ છે. આમાં 16-17 ટકાની વાત કરવામાં આવી છે.
સુબ્રમણ્યને કહ્યું કે જીએસટીની રૂપરેખા વધારે ઉત્તમ રીતે તૈયાર કરી શકાય તેમ હતી. તે જીએસટીને માટે દરેક ત્રણ દરનાં પક્ષમાં દેખાયાં. અર્થવ્યવસ્થાને વિશે તેઓએ કહ્યું કે આપણે થોડાંક સમયની મંદી માટે ખુદે તૈયાર રહેવું પડશે. હું અનેક કારણોને ધ્યાને રાખીને આ વાત કરી રહ્યો છું.
સૌથી પહેલાં તો નાણાંકીય પ્રણાલી દબાવમાં છે. નાણાંકીય પરિસ્થિતિઓ પણ વધારે કઠીન છે. આ ત્વરિત વૃદ્ધિ માટે અનુકૂળ નથી. સુબ્રમણ્યમ કૃષિ ક્ષેત્ર પણ હાલમાં દબાવમાં છે. તેઓએ આશા દર્શાવી કે આગામી વર્ષે થનારી ચૂંટણી દરમ્યાન વિભિન્ન પાર્ટીઓનાં ચૂંટણી ઘોષણાપત્રમાં સાર્વભૌમિક ન્યૂનતમ ઉંમરનાં મુદ્દાને પણ શામેલ કરવામાં આવશે.
એવામાં સુબ્રમણ્યને કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકની સ્વાયત્તતામાં કપાત ના થવી જોઇએ. જો કે તેઓએ કહ્યું કે RBIની અતિરિક્ત આરક્ષિત રકમનો ઉપયોગ સાર્વજનિક ક્ષેત્રોની બેંકોનાં પૂંજીકરણ માટે કરવું જોઇએ નહીં કે સરકારનાં રાજકોષીય નુકસાનને ઓછું કરવાં.