રાજકોટમાં ફરી એક વાર સરકારી કચેરીમાં બાબુઓની લાલિયાવાડી સામે આવી છે. જોકે આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે રાજકોટ મનપાની ઓફિસોમાં જનપ્રતિનિધિઓની ગેરહાજરી જોવા મળી હતી. રાજકોટની કોર્પોરેશનની કચેરીમાં VTVએ આજે સવારે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં સવારના 11:45 સુધી જનપ્રતિનિધિઓ ઓફિસમાં ન જોવા મળ્યા. આ સાથે અલગ અલગ કમિટીના ચેરમેન પણ ઓફિસમાં જોવા મળ્યા નહોતા.
રાજકોટની મ્યુનિશિપલ કોર્પોરેશનની કચેરીમાં આજે VTVની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં આજે સવારે 11:45 સુધી જનપ્રતિનિધિઓ ઓફિસમાં જોવા મળ્યા ન હતા. VTVના રિયાલિટી ચેકમાં કચેરીમાં ક્યાંક ચેમ્બર જ ખાલી,તો ક્યાંક તાળા જ ખૂલ્યા ન હતા. આજે સોમવાર હોવા છતાં પણ કમિટીના ચેરમેનની ગેરહાજરી જોવા મળી હતી. અહી સૌથી મોટો સવાલ એ છે કે, અધિકારીઓને નિયમ લાગુ પડે તો નેતાઓને કેમ નહી ?
મનપાની વિવિધ કમિટીના 15 ચેરમેનની ઓફિસો ખાલી
VTVની ટીમે રિયાલિટી ચેક કરતાં રાજકોટ મનપાની વિવિધ કમિટીના 15 ચેરમેનની ઓફિસો ખાલી જોવા મળી હતી. વિગતો મુજબ જો કર્મચારીઓ મોડા પડે તો ઉધડો લેવામાં આવે છે. તો હવે સવાલ એ ઊભો થાય છે કે, આવા નેતાઓને કોણ પૂછશે ?
VTVના સળગતા સવાલ
રાજકોટ મનપાની ઓફિસમાં 11:45 વગ્યા છતા તાળા કેમ?
મનપાની વિવિધ કમિટીના ચેરમેન કેમ નથી પહોંચ્યા ઓફિસ?
સોમવાર હોવા છતાં પણ કમિટીના ચેરમેનની કેમ ગેરહાજરી?