કોરોના મહામારી દરમિયાન લોકોને ચલણી નોટ સંક્રમણ ફેલાવવાનો ડર સતાવી રહ્યો છે.. જેના કારણે લોકોએ ચલણી નોટને પણ સેનિટાઈઝ કરે છે. આ વર્ષે લોકોએ નોટો સેનેટાઈઝ કરી વધારે કરી જેના કારણે નોટો ખરાબ થઈ ગઈ છે. જેટવા પ્રમાણમાં ચલણી નોટો ખરાબ થઈ છે તેનો આંકડો ચોંકાવનારો છે. જાણો આરબીઆઈ પાસે ખરાબ થયેલી કેટલી નોટો પહોંચી છે.
1,11,239 કરોડની કિંમતની નોટો ખરાબ થઇ
લોકોએ કોરોનાથી બચવા નોટો કરી સેનેટાઇઝ
ચલણી નોટો સેનેટાઇઝ કરી કલાકો તડકમાં સૂકવી
આ વર્ષે લોકોએ ચલણી નોટનું સેનિટાઈઝ કરતા કુલ 1 લાખ 11 હજાર 239 કરોડની કિંમતની નોટ ખરાબ થઈ છે. લોકોએ ચલણી નોટ ધોઈ અને તેને કલાકો સુધી તાપમાં સૂકવી છે.
RBIના રિપોર્ટ મુજબ ચાલુ વર્ષે 2 હજારની 35360 કરોડ નોટ ખરાબ થઈ. આ સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 300 ગણી વધારે છે. 200ની 636 કરોડ કિંમતની, 500ની 8225 કરોડ, 100ની 44793 કરોડની નોટ ખરાબ થઈ છે. સેનેટાઇઝરથી 1 લાખ કરોડની નોટો ધોવાઇ છે.