કોરોના વાયરસને લઇને ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંતા દાસે એક પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. RBI ગવર્નરે કહ્યું કે, ભારત પણ કોરોના વાયરસની ઝપેટમાં છે. અત્યાર સુધીમાં 100 લોકો કોરોનાના ચેપનો ભોગ બન્યા છે.
કોરોના વાયરસને લઇને RBI ગવર્નરની પત્રકાર પરિષદ
RBI દ્વારા જરૂરી પગલા ભરવાની ગવર્નરની તૈયારી
આ સાથે જ કોરોના વાયરસની અસર મામલે તેમણે કહ્યું કે, RBI દ્વારા 2 મોટા પગલા લેવામાં આવશે. આ સાથે જ તેમણે યસ બેંકના સંકટનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે ડિપોઝીટર્સને આશ્વાસન આપતા કહ્યું કે, તેમની મૂડી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
#WATCH live from Mumbai: Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das addresses the media. https://t.co/dlCo37OOnx
કોરોના વાયરસ પર શક્તિકાંતા દાસે કહ્યું કે, ટૂરિઝમ, હોસ્પિટાલિટી તથા એરલાયન્સ સહિત કેટલાય સેક્ટર પર તેની અસર જોવા મળી છે. નાણાકીય માર્કેટની સ્થિતિ યોગ્ય કરવા માટે RBI દ્વારા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.
RBIના બે નિર્ણય
1, 6 મહિના સુધી અમેરિકન ડોલર સેલ બાય સ્વેપ કરવામાં આવશે
2, વર્તમાન વ્યાજદર પર 1 લાખ કરોડ રૂપિયા સુધી અનેક હપ્તામાં એલટીઆર કરવામાં આવશે, ત્યારબાદ તેનો રિવ્યૂ લેવામાં આવશે.
વ્યાજદરમાં થઇ શકે છે ઘટાડો
RBI Govenor Shaktikanta Das: I would like to convey to the depositors of #YesBank, through you, that their money is completely safe and there is nothing to worry. There is no reason for any undue worry. https://t.co/8eIjaHGmNU
વ્યાજના દરમાં ઘટાડા અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં તેમણે કહ્યું હતું કે આ નિર્ણય માત્ર નાણાકીય સમીક્ષા નીતિ બેઠકમાં જ કાયદેસર રીતે લઈ શકાય છે. આગામી બેઠક યોજાશે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી નથી. જો કે, તેમણે એવો સંકેત આપ્યો હતો કે એમપીસીની આગામી બેઠકમાં વ્યાજના દરમાં ઘટાડો કરી શકાય છે.
યસ બેંક સંપૂર્ણ રીતે સુરક્ષિત
RBI Guv: As far as Indian economy is concerned, India is relatively insulated from global value chain, to that extent impact on India will be less. But India is integrated to global economy so there'll be some impact. We're evaluating&we'll announce it when we hold Policy meeting pic.twitter.com/Dd9HvdWlbJ
થાપણદારોની મૂડી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આરબીઆઈના ગવર્નરે વધુમાં કહ્યું, "હું કહેવા માંગુ છું કે ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર સંપૂર્ણપણે સલામત છે. જાહેર ક્ષેત્રથી લઈને ખાનગી ક્ષેત્ર સુધીની તમામ બેંકો સંપૂર્ણ સલામત છે. કોઈપણ થાપણદારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. "
વિશ્વભરની મોટી બેંકોએ વ્યાજના દરમાં કર્યો ઘટાડો
યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે પણ રવિવારે સતત બીજી વાર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ફેડ રિઝર્વ બેંકે આ કાપ મૂક્યો છે જેથી આર્થિક મંદીના ભય વચ્ચે અર્થવ્યવસ્થામાં પૂરતી તરલતા રહે. માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપિયન યુનિયન દ્વારા પણ વ્યાજના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે.