ભારતીય રિઝર્વ બેંકે (RBI) ફાટેલી-તૂટેલી નોટોને બદલવાના નિયમોને શુક્રવારે બદલાવ કર્યો છે. કેન્દ્રી બેંક દ્વારા 2000 રૂપિયા 200 રૂપિયા અને અન્ય ઓછી મૂલ્યની ચલણી નોટોને જાહેર કર્યા પછી આ પગલું ભર્યુ છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકે મંત્રાલયને ફાટેલી-તૂટેલી નોટ બદલવાના RBIના (નોટ રિફંડ) નિયમ 2009માં ફેરફારનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. હવે નવા નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પહેલા નિયમ અનુસાર માત્ર 1 2 5 10 50 100 500 1000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઈ હતી.
તમને જણાવી દઇએ કે કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હતી જેના કારણે બેંક 2000 અને 200 રૂપિયાની ગંદી અને ફાટેલી-તૂટેલી જૂની નોટ બદલી શકતી ન હતી. ફાટેલી-તૂટેલી નોટ બદલવાનો કાયદો RBI એક્ટની કલમ 28 અંતર્ગત આવે છે. જેમાં 200 અને 2000ની નોટનો ઉલ્લેખ ન હતો. નોટબંધી બાદ રિઝર્વ બેંકે અત્યાર સુધીમાં આમાં કોઈ પણ સંશોધન નહોતુ કર્યું. હવે નવું સંશોધન કરી રૂ. 200 અને 2000ની નોટ બદલવાની જોગવાઈને જોડી દેવામાં આવી છે એટલે કે હવે બેંકોમાં 200 અને 2000 ની ફાટેલી-તૂટેલી નોટો બદલી શકાશે.
2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016ની નોટબંધી પછી જારી કરવામાં આવી જ્યારે 200 રૂપિયાની નોટ સપ્ટેમ્બર 2017 પછી જારી કરવામાંમ આવી. દેશમાં મોટી સંખ્યામાં લોકો આ મુશ્કેલીમાં હતા કે આ નોટો બદલી નથી શકાતી. બેંકમાં પણ આ પ્રકારનો કાયદો ના હોવાથી લોકોને નોટો ન હતી બદલી શકાતી પરંતુ હવે કાયદામાં બદલાવ આવવાથી લોકોને રાહત મળી છે.
2000ની નોટ જાહેર થયાને લગભગ દોઢ વર્ષથી વધારે થઈ ગયું છે. 2000 અને 200 રૂપિયાની નોટનો રંગ ઉતરવા ફાટવા-તૂટ્યા બાદ કેટલાએ શહેરોમાં ફરિયાદ આવી હતી કે બેંક આ નોટ બદલી નથી રહી. બેંકોનું કહેવું છે કે તેમીની પાસે RBI તરફથી મંજૂરી નથી. આથી નાના વેપારીથી લઈ મોટા વેપારીઓ સહિત તમામ બેંકના ગ્રાહક પરેશાન હતા.