ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીની નિયુક્તિને તપાસના દાયરામાં આવી શકે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેમણે કોચના પદ પર ફરીથી નિયુક્ત કરવાની આવશ્યકતા પડી શકે છે. વાસ્તલમાં BCCI ના એથિક્સ ઑફિસર ડીકે જૈનને શનિવારના કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)vના હિતો ટકરાવ સંબંધે નોટિસ મોકલી છે.
CAC માં 1983 માં વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન કપિલ દેવ, શાંતા રંગાસ્વામી અને અંશુમન ગાયકવાડ શામેલ છે, જેમણે તાજેતરમાં જ મુખ્ય હેડ કોચ માટે રવિ શાસ્ત્રીની પસંદ કર્યા હતા. CAC એ તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે પસંદ કર્યા હતા. આ સાથે જ રવિ શાસ્ત્રીના કાર્યકાળ 2021 સુધી વધારી દેશે, CAC વિરુદ્ઘ હિતોનો ટકરાવના આરોપ લગાવ્યા છે, જેના પર 10 ઓક્ટોબર સુધી જવાબ આપવાનો છે.
રવિ શાસ્ત્રી જગ્યાને લઇને સવાલ:
બોર્ડના એક અધિકારી અનુસાર, ''જો BCCI ના એથિક્સ ઑફિસર ડીકે જૈનને CAC સભ્યોના હિટનો ટકરાવમાં જો દોષિ સાબિત થશે તો રવિ શાસ્ત્રીને ફરી એક વખત કોચ માટેની પ્રક્રિયામાંથી પસાર થવુ પડી શકે છે.'' અધિકારીએ જણાવ્યુ કે, ''એક નવી સમિતિ બનાવવામાં આવશે અને કોચની નિયુક્તિની પૂરી પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે. BCCI ના નવા કોન્ટ્રાક્ટને ધ્યાનમાં રાખીને તમામ બાબતો ફરીથી કરવી પડશે.''
શું હતો મામલો:
મધ્ય પ્રદેશ ક્રિકેટ સંઘ (MPCA)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાએ આ ત્રણેય વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. આ સમિતિએ ઓગસ્ટમાં રવિ શાસ્ત્રને હેડ કોચ પસંદ કર્યા. BCCIના અધિકારીએ કહ્યું કે, ‘હા, તેમને ફરિયાદનો જવાબ સોગંદનામા સાથે આપવા માટે કહેવામાં આવ્યુ છે. BCCI ના બંધારણ અનુસાર, ''CAC નો કોઇપણ સભ્ય ક્રિકેટમાં અન્ય ભૂમિકા ન ભજવી શકે .''
ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, ''CAC સભ્ય એકસાથે ઘણી બધી ભૂમિકાઓ ભજવી રહ્યા છે.''તેમણે લખ્યું કે, 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ CAC ઉપરાંત કૉમેન્ટેટર, ફ્લડલાઇટ, કંપનીના માલિક અને ભારતીય ક્રિકેટ સંઘના સભ્ય છે. આ જ રીતે ગુપ્તાએ આરોપ લગાવ્યો કે, ગાયકવાડનો પણ હિતોનો ટકરાવ બને છે, કારણ કે તેઓ એક એકેડમીના માલિક છે અને BCCI માન્યતાપ્રાપ્ત સમિતિના સભ્ય છે. પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન રંગાસ્વામી CAC ઉપરાંત ICAમાં પણ છે. CAC એ ડિસેમ્બરમાં મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે ડબલ્યૂવી રમનની પસંદગી કરી હતી પણ ત્યારે તે તદર્થ સભ્ય હતા.