ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે તાજેતરમાં જ પૂરા થયેલા એશિયા કપ 2018 દરમિયાન વિરાટ કોહલીને કેમ આરામ આપવામાં આવ્યો હતો. શાસ્ત્રીએ કહ્યુ કે ''ટીમ ઇન્ડિયાના મેનેજમેન્ટે ખાસ રણનીતિ હેઠળ તેણે આરામ આપ્યો હતો.''
રવિ શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યુ કે ''વિરાટ કોહલીને આરામની જરૂર હતી આ માનસિક થાકનો મામલો છે. આ આરામ આપવા પાછળનું એક જ કારણ હતો કે તે એકદમ રિલેક્સ થઇને ટીમમાં વાપસી કરે.''
રવિ શાસ્ત્રીએ આગળ કહ્યુ કે ''ટીમના અન્ય પ્લેયર્સ માટે આ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.'' તેમણે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર તરફ ઇશારો કર્યો જેમણે વેસ્ટઇન્ડિઝની વિરુદ્ઘ ટેસ્ટ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટીમ મેનેજમેન્ટ તેમણે ભવિષ્યની ટૂર્નામેન્ટના માટે સારુ પરફૉર્મન્સ આપે તે માટે તૈયારી કરી રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે એશિયા કપ દરમિયાન વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી અને સાતમી વખત એશિયા કપનું ટાઇટલ જીત્યું. રોહિત કેપ્ટન્સીમાં અને બાકીના ખિલાડીઓ પરફૉર્મન્સમાં શાનદાર રહ્યા. ટૂર્નામેન્ટ દરમિયાન શિખર ધવની સાથે રોહિતે સારું પાર્ટનરશિપ કરી.