કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જનતાના જનાદેશ બાદ પણ સુધર્યાં નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વાયનાડમાં આપેલા નિવેદન પર રવિશંકર પ્રસાદે જવાબ આપતાં કહ્યું કે રાહુલ ગાંધીએ જ કોંગ્રેસને ડુબાડી છે, તેમ છતાં આરોપ ભાજપ પર લગાવી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાહુલ ગાંધીએ વાયનાડ ખાતે કહ્યું હતું કે હું કઠોર શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું, પરંતુ નરેન્દ્ર મોદી આ દેશના ભાગલા માટે નફરતરૂપી ઝેરનો ઉપયોગ કરી રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીએ કોંગ્રેસને ડૂબાડી અને તેનો આરોપ ભાજપ પર લગાવી રહ્યા છે.
રાહુલ ગાંધી કોંગ્રેસને ડૂબાડીને પણ સુધર્યાં નથી. ગઈ કાલે રાહુલ ગાંધીએ વાયનાડમાં પીએમ મોદી વિરૂદ્ધ કરેલી ટિપ્પણી બાદ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીને વળતો જવાબ આપતા કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ જનાદેશ બાદ પણ સુધર્યાં નથી. રાહુલ ગાંધીએ જ કોંગ્રેસને ડૂબાડી છે અને બાદમાં તેઓ ભાજપ પર આરોપ લગાવી રહ્યા છે.
ઉલ્લેખનીય કે ગઈ કાલે રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું હતુ કે, હું કઠોર શબ્દોનો પ્રયોગ કરી રહ્યો છું પરંતુ નરેન્દ્ર મોદી આ દેશને વહેચવા માટે નફરતરૂપી ઝેરનો ઉપયોગ કરી રહ્યા છે. જેના વળતા જવાબમાં રવિશંકર પ્રસાદે એવું પણ કહ્યું કે, રાહુલ ગાંધીએ જનતાની ભાવનાને અપમાનિત ના કરવી જોઈએ. 15 રાજ્યોમાં ભાજપને 50 ટકાથી વધુ મત મળ્યા છે.
તેઓ માટે પણ કામ કરીશું કે જેઓએ વોટ ના આપ્યા હોય. જનતાને પીએમ મોદી પર પૂરો વિશ્વાસ છે. પીએમ મોદીએ જનતાનો વિશ્વાસ જીત્યો છે. દેશનો વિશ્વાસ જીતીને તેઓ બીજી વાર સત્તામાં આવ્યા છે.