શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને "મોતના સોદેગાર" ગણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં આ વખતે ભાજપની હાર થવાની છે.
સોનિયા ગાંધી જ નહીં હું પણ કહું છું કે મોદી મોતના સોદાગર છે - શંકરસિંહ વાઘેલા
રાહુલ ગાંધીની સદ્દામ હુસૈન સાથે સરખામણી
મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરી હતી
ગુજરાત વિધાનસભા ચૂંટણી સદ્દામ હુસૈન, રાવણ અને મોતના સોદાગર સુધી પહોંચી ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને "મોતના સોદેગાર" ગણાવતા કહ્યું હતું કે ગુજરાતમાં આ વખતે ભાજપની હાર થવાની છે. જણાવી દઈએ કે ગોધરા રમખાણોનો ઉલ્લેખ કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, 'માત્ર સોનિયા ગાંધી જ નહીં હું પણ કહું છું કે મોદી મોતના સોદાગર છે. ' શંકરસિંહ વાઘેલા હાલ કોઈ જ રાજકીય પક્ષ સાથે નથી પણ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.
નાની વાતોને મોટી કરવી એ જ ભાજપનો ધંધો
શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, '1લી ડિસેમ્બરે ગુજરાતની જનતાનું અડધું ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ ગયું હતું અને 5મી ડિસેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીમાં સમગ્ર ભવિષ્ય ઈવીએમમાં કેદ થઈ જશે. ગુજરાતના લોકો વેપાર સમજનારા લોકો છે એટલે એ લોકો જાણે છે કે તેમનું ભવિષ્ય શું હોવું જોઈએ. ભાજપે 27 વર્ષથી માત્ર હિન્દુ-મુસ્લિમ રાજકારણ જ કર્યું છે. પીએમના આરોપો પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે નાની વાતોને મોટી કરવી એ જ ભાજપનો ધંધો છે.
રાહુલ ગાંધીની સદ્દામ હુસૈન સાથે સરખામણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એવામાં તમામ રાજકીય પક્ષોના નેતાઓએ એકબીજા પર અનેક આક્ષેપો કર્યા હતા. જો કે આવા નેતાઓની યાદીમાં ઘણા નામ છે પણ અમે તમારી સમક્ષ હાલ કેટલાકનો ઉલ્લેખ કરી રહ્યા છીએ અને આ યાદીમાં ભાજપના દિગ્ગજ નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનું નામ પણ સામેલ છે. આ લોકોએ ગુજરાતની ચૂંટણી વચ્ચે સદ્દામ હુસૈનને લાવ્યો હતો અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સરખામણી સદ્દામ હુસૈન સાથે કરી હતી. સરમાએ કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષનો ચહેરો 'સદ્દામ હુસૈન જેવો' ન હોવો જોઈએ અને આ પછી કોંગ્રેસના લોકોએ આ વાત પર ઉગ્ર વિરોધ કર્યો હતો.
ખડગેને ચૂંટણીમાં રાવણની એન્ટ્રી કરાવી
જો કે સદ્દામ પછી ગુજરાતની ચૂંટણીમાં રાવણની ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી. અમદાવાદના બહેરામપુરામાં જનસભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની સરખામણી રાવણ સાથે કરતાં કહ્યું હતું કે, "અમને તમારો (મોદીનો) ચહેરો કોર્પોરેશનની ચૂંટણી હોય, ધારાસભ્યની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય દરેક જગ્યાએ દેખાય છે ... શું તમારી પાસે રાવણ જેવા 100 માથા છે?" જણાવી દઈએ કે એમના નિવેદન બાદ ઘણો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
રાવણ સાથે વાત શૂર્પણખા સુધી પહોંચી
ખડગેના રાવણના નિવેદન બાદ ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ ઘેર્યા હતા. જો કે આ શાબ્દિક લડાઈમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રેણુકા ચૌધરી ખડગેની પણ એન્ટ્રી થઈ હતી. એમને પીએમ મોદી પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, "જ્યારે પીએમ મોદીએ સંસદમાં મારી સરખામણી શૂર્પણખા સાથે કરી તો તે સમયે આ મુદ્દો કેમ ઉઠાવવામાં નહતો આવ્યો."
ઔકાત પણ માપવા લાગ્યા હતા નેતા
આ વખતેની ચૂંટણીમાં વાત રાવણ, સદ્દામ હુસૈન અને શૂર્પણખા કરતા પણ ઊંચા સ્તરે પહોંચી હતી. જણાવી દઈએ કે કોંગ્રેસના નેતા મધુસૂદન મિસ્ત્રીએ જ્યારે પીએમ મોદીને લઈને કેટલાક નિવેદનો આપ્યા ત્યારે 'ઔકાત' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પણ ભારે હોબાળો થયો હતો. આ સમયે પીએમ મોદીએ પોતે પણ ચૂંટણી રેલી દરમિયાન તેનો જવાબ આપતા કહ્યું હતું કે, "તેઓ કહે છે કે ઔકાત બતાવી દઇશું. હું કહું છું કે મારી કોઈ ઔકાત જ નથી. અમારી ઔકાત માત્ર સેવા કરવાની છે."