આવતીકાલથી રાશન કાર્ડના નિયમમાં ફેરફાર થઈ રહ્યો છે. જેમાં અન્નપૂર્ણા અને અન્ત્યોદય કાર્ડ ઘારકોને દર મહિને મળનારું રાશન હવે બાયોમેટ્રિક રીતને બદલે મોબાઈલ ઓટીપી અને આઈરીસ ઓથેન્ટિકેશનની મદદથી મળશે.
આવતીકાલથી બદલાશે રાશન કાર્ડનો આ નિયમ
અન્નપૂર્ણા અને અન્ત્યોદય કાર્ડ ઘારકોને માટે છે નિયમ
મોબાઈલ ઓટીપી અને આઈરીસ ઓથેન્ટિકેશનની મદદથી મળશે રાશન
રાશન કાર્ડ ધારકો સહિત અન્નપૂર્ણા અને અન્ત્યોદય કાર્ડ ધારકોને દર મહિને મળનારું રાશન હવે બાયોમેટ્રિક પદ્ધતિના બદલે મોબાઈલ ઓટીપી અને આઈરીસ ઓથેન્ટિફિકેશનની મદદથી મળશે. એક રિપોર્ટ અનુસાર રાશન કાર્ડ સાથે જોડાયેલો આ નિયમ તેલંગાણામાં 1 ફેબ્રુઆરીથી લાગૂ થઈ રહ્યો છે. આ પગલું કોરોના મહામારીમાં ફેલાયેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયું હતું. કોરોના મહામારીના કારણે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન બંધ કરાયું હતું.
આધારને મોબાઈલ સાથે લિંક કરવું જરૂરી રહેશે
સિવિલ સપ્લાઈઝ વિભાગના અધિકારી અનુસાર દરેક કાર્ડ ધારકોએ રાશન માટે પોતાનો આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લિંક કરવાનો જરૂરી રહેશે. જેથી તેની પર ઓટીપી મોકલી શકાય, આ નિર્ણય હાઈકોર્ટે જાહેર કર્યા બાદ તેને અનુકરણમાં મૂકાયો છે. કોર્ટે આ નિર્ણયની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતા રાખવામાં આવી હતી.
હૈદરાબાદ અને રંગારેડ્ડી જિલ્લામાં OTPથી મળશે રાશન
હૈદરાબાદ અને તત્કાલીન રંગારેડ્ડી જિલ્લામાં આઈરીસ ઓથેન્ટિકેશનની સુવિધા મળતી ન હોવાના કારણે આ જગ્યા પર રાશનની સામગ્રી મોબાઈલ OTPની મદદથી અપાશે. હૈદરાબાદમાં મળતી માહિતી અનુસાર 1 ફેબ્રુઆરી બાદ દરેક 670 ફેર શોપમાં રાશન સામગ્રીનું વિતરણ મોબાઈલ ઓટીપી ઓથેન્ટિકેશનથી કરાશે.
ક્યાં કેટલા રાશન કાર્ડ ધારકો
આ જિલ્લાના લોકોને આધાર કાર્ડની સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. માયા દેવીના દરેક કાર્ડના ધારકોને સામગ્રી પ્રાપ્ત કરવા માટે આધાર કાર્ડના મોબાઈલ નંબરથી જોડવાનું સૂચન કરાયું છે. તેલંગાણા રાજ્યમાં 87,44,251 રાશન કાર્ડ ધારકો છે. હૈદરાબાદ જિલ્લામાં કાર્ડ ધઆરકોની સંખ્યા 5,80,680 છે. જ્યારે રંગારેડ્ડીમાં આ સંખ્યા 5,24, 656 ની છે. મેડચલ મલકજગિરિમાં આ 4,94,881 છે અને વિકારાબાદમાં 2,34, 940ની છે.