બોલિવૂડના વેટરન એક્ટર રતન ચોપડાનું દુઃખદ અવસાન થઈ ગયું છે. તેઓ કેન્સરથી પીડિત હતા. પંજાબના મલેરકોટલામાં શુક્રવારે તેમનું નિધન થયું. રતન ચોપડાની દીકરી અનીકાએ તેમના નિધનનું પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે, તેના પિતા પાસે ઈલાજના પૈસા નહોતા.
બોલિવૂડના વધુ એક એક્ટરનું નિધન
કેન્સરની બીમારીથી પીડિત હતા આ વેટરન એક્ટર
બીમારીના ઈલાજ માટે નહોતા પૈસા
રતનના પરિવારથી જોડાયેલા સૂત્ર મુજબ તેમણે 10 દિવસ પહેલાં બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર, અક્ષય કુમાર અને સોનુ સૂદ પાસે મદદની અપીલ કરી હતી. જોકે, તેમણે કોઈ જ મદદ મળી નહીં. તેમણે ગરીબી અને પૈસાના અભાવમાં અંતિમ દિવસો કાઢ્યા. તેઓ તેમના એરિયાના ગુરૂદ્વારા અને મંદિરોમાંથી મળતાં ભોજનથી ગુજરાન ચલાવી રહ્યાં હતા. રતન છેલ્લા કેટલાક સમયથી હરિયાણાના પંચકુલાના સેક્ટર 26માં ભાડાના મકાનમાં રહેતા હતા.
એવું કહેવાય રહ્યું છે કે, રતનને આ વર્ષે જાન્યુઆરીમાં કેન્સર હોવાની ખબર પડી હતી. તેઓ અપરિણીત હતા. સ્કૂલ અને અન્ય ઈન્સ્ટીટ્યૂટમાં અંગ્રેજી ભણાવતા હતા. રતને પટિયાલાના ચંડીગઢ એન્ડ પંજાબ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમનું અસલી નામ અબ્દુલ જબ્બર ખાન હતું. તેમણે અનીતા નામની છોકરીને દત્તક લીધી હતી.
રતન ચોપડાએ 1972માં આવેલી ફિલ્મ મોમ કી ગુડિયામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આમાં એક્ટ્રેસ તનુજા પણ તેની સાથે હતી. રતને એ સમયમાં દાવો કર્યો હતો કે તેને લોફર, આયા સાવન ઝૂમ કે અને જૂગનુ જેવી ફિલ્મોની ઓફર મળી હતી. જોકે, દાદીના આગ્રહ પર તેણે આ ફિલ્મો ઠુકરાવી દીધી હતી. રતનની દાદી તેના ફિલ્મી કરિયરની વિરુદ્ધ હતા. તેથી તેમના પર બોલિવૂડ છોડવાનું દબાણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.