આણંદના બોરસદના નાપામા દલિત સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. દુષ્કર્મની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો હતો.
મળતી માહિતી અનુસાર નાપાના 3 વિધર્મી યુવાનોએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી મળી છે. દુષ્કર્મ આચર્યા બાદ યુવાનોએ સગીરાને ઢોર માર માર્યો છે. આ ઘટના બાદ સગીરાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે હવે પોલીસે 3 શખ્સો વિરૂદ્ધમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગતિશીલ ગુજરાતમાં દીકરીઓ અને યુવતીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. રાજ્યમાં દીકરીઓ સાથે દુષ્કર્મના કિસ્સામાં વધારો થયો છે. થોડાક દિવસો અગાઉ જ વડોદરાના ડભોઈમાં એક યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. જ્યારે સુરતના બારડોલીમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.