કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ભાજપ પર નિશાન સાધતી વખતે એક મોટી ભૂલ કરી બેઠા જેને કારણે તેમને લોકોના નિશાન પર આવવું પડ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાનો બફાટ
કહ્યું સીતા મૈયાનું ચીરહરણ થયું હતું
દ્રોપદીના ચીરહરણનો દાખલો આપવા માગતા હતા
પણ બોલી ગયા સીતા મૈયા
લોકો અને ભાજપ ચલાવ્યા શાબ્દિક બાણ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા મીડિયાની સામે ઈડી, સીબીઆઈ અને ઈન્કમ ટેક્સ જેવી કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહ્યા હતા ત્યારે તેમનાથી એક મોટી ભૂલ થઈ હતી. સુરજેવાલાએ દ્રોપદીના ચીરહરણને બદલે સીતા મૈયાનું ચીરહરણ થયું હતું તેવું જણાવ્યું હતું. રણદીપ સુરજેવાલા હાભારતમાં દ્રૌપદીના ચીરહરણની ઘટનાનો ઉલ્લેખ કરવા માંગતા હતા, પરંતુ ભૂલથી તેમના મોંમાંથી 'સીતા મૈયાનું ચીરહરણ એવું નીકળું ગયું હતું.
— प्रो. राकेश गोस्वामी / Prof. Rakesh Goswami (@DrRakeshGoswami) June 9, 2022
સુરજેવાલા બોલ્યાં, ભાજપ પ્રજાતંત્રનું ચીરહરણ કરવા માગે છે
રણદીપ સુરજેવાલાએ કહ્યું, "ગત ચૂંટણીમાં ભાજપ ખરાબ રીતે હાર્યું છે. લોકશાહી, કાયદો અને નૈતિકતાનો વિજય થશે. જે રીતે એક સમયે 'સીતા મૈયાનું ચીરહરણ થયું હતું તેવી રીતે તેઓ પ્રજાતંત્રનું ચીરહરણ કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે આવા લોકો હારી જશે અને ઉઘાડા પડી જશે." સુરજેવાલા રાજ્યસભાની ચૂંટણીને લઈને આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.
લોકોએ પૂછ્યું સીતા મૈયાનું ચીરહરણ ક્યારે થયું
રણદીપ સુરજેવાલાના આ નિવેદન બાદ લોકો ગુસ્સે થયા હતા અને તેઓ પૂછવા લાગ્યા હતા કે સીતા મૈયાનું ચીરહરણ ક્યારે થયું હતું. જવાબ આપો. લોકોએ તેમના આ નિવેદન પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપીને તેમને આડે હાથ લીધા હતા.
10 જૂને રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન
રાજ્યસભાની ચૂંટણી માટે 10 જૂને મતદાન થશે. કોંગ્રેસ હાલ હરિયાણા અને રાજસ્થાનમાં પોતાના બળવાખોર ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે જ તમામને હોટલમાં રાખવામાં આવ્યા છે. હરિયાણામાં કાર્તિકેય શર્માને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવતા કોંગ્રેસનું ગણિત ગૂંચવાયું છે. સાથે જ રાજસ્થાનમાં પણ સુભાષ ચંદ્રની ઉમેદવારીથી કોંગ્રેસને પોતાનો નંબર સંભાળવાની ફરજ પડી રહી છે.