રણબીર કપૂર અને આલિયા ભટ્ટે 14 એપ્રિલે પ્રભુતામાં પગલા માંડ્યા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં મહેમાનોનો જમાવડો
સંપન્ન થયા આલિયા-રણબીરના લગ્ન
આ સાથે તેના લગ્નને સુપર સિક્રેટ બનાવવા માટે બંને કલાકારો અને તેના પરિવારો તરફથી સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. એવામાં પ્રશંસકોને રણબીર અને આલિયાના આ બહુપ્રતિક્ષીત લગ્નની ઝલક મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અહેવાલ છે કે બંનેએ સાત ફેરા લઇ લીધા છે.
શરુ થયા ફેરા
અહેવાલ મુજબ આલિયા અને રણબીરના લગ્ન ચાર પંડિત દ્વારા કરાઈ રહ્યાં છે. દંપત્તિના ફેરા શરુ થઇ ગયા છે. આલિયા ભટ્ટને તેની દીકરી માનનારા કરણ જૌહરે ફેરાના બંધનની એક ગાંઠને બાંધી છે.
અહીં જુઓ મહેમાનોની તસ્વીરો
રણધીર કપૂર, બબિતા કપૂર અને કરિશ્મા કપૂર જેવા નજીકના સંબંધી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન માટે વાસ્તુ ભવન પહોંચી ગયા છે.
પોતાના ભાઈ રણબીર કપૂરના લગ્નમાં સામેલ થવા માટે બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર પણ વેડિંગ વેન્યુ પહોંચી ગઇ છે. કેમેરામાં કેદ થયેલી અભિનેત્રી આ દરમ્યાન ખૂબ સુંદર લાગી રહી છે.
રણબીર અને આલિયાના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. લગ્નમાં ભાગ લેવા માટે મહેમાનોનો જમાવડો પણ થયો છે. હાલમાં દિવંગત અભિનેતાની પત્ની નીલા દેવી આરકે હાઉસમાં પહોંચી છે.