કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતના અમુક ગામો સતર્કતાનો પરિચય આપી રહ્યા છે જેના લીધા કોરોના વાયરસના કેસ પણ ઓછા થયા છે.
સાવરકુંડલાનું રામગઢ ગામ બન્યું કોરોના મુક્ત
ગામના લોકો છે ખુબ સતર્ક, 90 ટકા લોકોએ લીધી રસી
ગામના લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે આ મહામારીના કહેર વચ્ચે જ્યાં એક તરફ ગુજરાતના ઘણા બધા ગામડાઓ વાયરસના કારણે પીડાઈ રહ્યા છે ત્યાં ઘણા ગામો એવા પણ છે જ્યાં લોકોની સતર્કતાના કારણે વાયરસના કેસ નથી. આવું જ એક ગામ સાવરકુંડલાનું છે જ્યાં પહેલી લહેરમાં પણ આ જ પ્રકારની જાગરૂકતા હતી.
રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે સાવરકુંડલાના રામગઢમાં નથી કોરોનાનો કેસ
રાજ્યમાં કોરોનાનો કહેર છે ત્યારે સાવરકુંડલાના રામગઢમાં કોરોનાનો એકપણ કેસ નથી. કોરોનાની પહેલી લહેરમાં પણ ગામના લોકોએ સતર્કતા વાપરી હતી.પરંતુ આ વખતે મહામારી ખુબ વકરી હતી અને તેને જોતા ગામના લોકોએ સ્વયંભૂ લોકડાઉન લગાવ્યું હતું અને તેના કારણે હાલ ગામના લોકો સુરક્ષિત છે.
ગામમાં આવતા બહારના લોકોનો ટેસ્ટ હોય તો જ મળે છે ગામમાં એન્ટ્રી
ગામમાં અવરજવર કરતા લોકોએ માસ્ક પહેરવું ફરિજયાત છે આ ઉપરાંત બહારથી આવતા વેપારીઓએ કોરોનાનો રિપોર્ટ બતાવીને જ ગામમાં પ્રવેશ લેવો પડે છે.આ ઉપરાંત આ ગામના લોકો ખુબ જાગૃતી બતાવી છે અને રસીકરણ ચાલતુ હતુ ત્યારે ગામની વસ્તી 1 હજાર છે અને આશરે 90 ટકા લોકોએ રસી લઈ લીધી છે. આ ગામના લોકોએ અન્ય ગામના લોકોને આ મહામારીમાં કેવી રીતે બચવું તે સંદેશો આપ્યો છે.
બીજી તરફ અન્ય ગામોમાં વધતો કહેર
ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વધતા તાજેતરમાં વધુ 7 ગામો ને સંપૂર્ણ પણે પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ પણ 7 ગામો ને પ્રતિબન્ધિત કરવામાં આવેલ આમ કુલ હવે જિલ્લાના 14 ગામોને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને સંપૂર્ણ પણે પ્રતિબંધિત તરીકે જાહેર કરાયા છે. કોરોના વાયરસના વધતાં કહેરના કારણે જે ગામો પ્રતિબંધિત જાહેર થયા છે તેમાં ઘોઘા,તગડી, તણસા, ભનડારીયા,પીથલપુર,જસપર,અને ભુમભલી ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં કોરોના એટલી બધી હદે વકર્યો છે કે વસ્તીના પ્રમાણમાં 18 ટકા થઈ લઇ ને 66 ટકા સુધી લોકો કોરોના સંક્રમિત થયા છે. આ ગામોમાં આજ સવારથી જ બેરીકેટ,ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો છે.