લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર રામાનંદ સાગરની રામાયણ રિ-ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. હવે આ સીરિયલ ખતમ થઈ ગઈ છે, પરંતુ સીરિયલને લઈને ચર્ચાઓ સતત ચાલતી રહે છે. આ શોની લોકપ્રિયતાને કારણે આ શોથી જોડાયેલા બધાં જ કલાકારો ચર્ચામાં આવી ગયા છે. દર્શકો આ કલાકારો વિશે જાણવા માટે હમેશાં ઉત્સુક રહે છે. ત્યાકે હાલમાં જ રામાયણના લંકાપતિ રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક અફવાઓ ઉડી હતી. જેથી તેમના પરિવાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે.
રામાયણમાં રાવણનો રોલ પ્લે કરનાર અરવિંદ ત્રિવેદીની અચાનક તબિયત ખરાબ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. જે બાદ ઘણાં લોકોએ આ અફવા પર ચિંતા જાહેર કરી હતી. તેમના સ્વાસ્થ્યને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ. જોકે, હવે અરવિંદના પરિવાર તરફથી આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમના ભત્રીજાએ તેમના સ્વાસ્થ્યને લઈને થઈ રહેલી ચર્ચાઓને ખોટી ગણાવી છે.
Dear all my uncle Arvind Trivedi lankesh is all good and safe. Stop spreading fake news it is request. Now please spread this. Thanks pic.twitter.com/XvmGnCPNy5
અરવિંદ ત્રિવેદી તરફથી તેમના પરિવારના સભ્ય એટલે કે ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ અફવાઓ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું- 'હું મારા બધાં પ્રિયજનોને કહેવા માંગુ છું કે મારા કાકા અરવિંદ ત્રિવેદી લંકેશ એકદમ ઠીક અને સલામત છે. મારી વિનંતી છે કે, આવી ખોટી અફવાઓ ન ફેલાવો. આભાર. કૌસ્તુભની આ ટ્વિટ પર ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે અને ખોટા સમાચાર ફેલાવનારા લોકોને આડે હાથ લીધા છે.
A post shared by Ramayan (@ramanandsagarramayan) on
તમને જણાવી દઈએ કે, અરવિંદ ત્રિવેદીએ 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવી છે, પરંતુ તે વાસ્તવિક જીવનમાં રામ ભક્ત છે. તાજેતરમાં જ તેમની પુત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રાવણના સીનની શૂટિંગ કરતા પહેલાં ભગવાન પાસે માફી માંગતા હતા અને કહેતા હતા કે હું આ બધું ફક્ત શૂટિંગ માટે જ કરી રહ્યો છું. તે શૂટ દરમિયાન ઉપવાસ કરતૈ હતા અને શૂટ ખતમ થયા પછી જ ખાતા હતા.